કોરોના ઈન્ડિયા LIVE:52,251 કેસ, મૃત્યુઆંક-1,784: ફક્ત 3 દિવસમાં કેસ 40 હજારથી 50 હજાર થયા, શરૂઆતી 10 હજાર કેસ 75 દિવસમાં સામે આવ્યા હતા

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગૃહ મંત્રાલયનો બંગાળના મુખ્ય સચિવને પત્ર, કહ્યું- વસ્તીના પ્રમાણણાં ટેસ્ટિંગ ઓછા, ડેથ રેટ વધારે
  • BSFના વધુ 85 જવાન કોરોના પોઝિટિવ, હવે સંક્રમિતો જવાનોની સંખ્યા 154 થઈ; 2 સાજા પણ થયા
  • અત્યાર સુધી 1,694 દર્દી સાજા થયા, ગાઝિયાબાદમાં 31 મે સુધી કલમ-144 લાગુ રહેશે
  • ગૃહ મંત્રાલય સુધી કોરોના પહોંચ્યો, MHAના કંટ્રોલ રૂમ નંબર-1ને સીલ કરાયો

દેશમાં અત્યાર સુધી 52,251 લોકો સંક્રમિત થયા છે અને 1,784 લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી દેશમાં 14,142 લોકો સાજા થયા છે. ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલ્લાએ બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિંહને એક ચીઠ્ઠી લખી. તેમા કહેવામાં આવ્યું કે કોલકાતા અને હાવડામાં કેટલાક સ્થાનો પર લોડકાઉનનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. કોરોના વોરિયર્સ પર હુમલા થયા છે. લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે જરૂરી છે. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્યની વસ્તીની દ્રષ્ટિએ ટેસ્ટિંગ રેટ ઓછો છે અને ડેથ રેટ 13.2 ટકા વધારે છે. ભીડવાળા સ્થળો પર રેન્ડમ ટેસ્ટિંગની જરૂર છે. સંક્રમણની દેખરેખ અને ટેસ્ટિંગ બન્ને નબળું છે. બીજી બાજુ મમતા બેનર્જીએ કહ્યું છે કે અમે એક મહિનામાં 5.5 કરોડ લોકોનો સરવે કર્યો છે.

દેશમાં સંક્રમિતોના કેસ 50 હજારને પાર

દેશમાં બુધવારે સંક્રમિતોના કેસ 50 હજારને પાર થઈ ગયા છે. છેલ્લા 3 દિવસમાં સંક્રમણ વધવાની ઝડપ વધી છે. રવિવાર 4 મેના રોજ દેશમાં 41 હજાર કેસ હતા. જે 6 મેના રોજ વધીને 50 હજારથી વધારે થઈ ગયા છે. દેશમાં 0 થી 10 હજાર સુધી કેસની સંખ્યા પહોંચવામાં 75 દિવસ લાગ્યા.

1થી 10,000 કેસ થવામાં 75 દિવસ લાગ્યા, પણ 40,000થી 50,000 કેસ થવામાં ફક્ત 3 દિવસનો સમય લાગ્યો

પહેલા કેસની પુષ્ટી કેરળમાં 30 જાન્યુઆરીના રોજ થી હતી. 13 એપ્રિલ એટલે કે 75 દિવસ બાદ સંક્રમિતોની સંખ્યા 10 હજાર પહોંચી હતી. ત્યારબાદ 8 દિવસમાં એટલે કે 21 એપ્રિલ સુધીમાં સંક્રમિતોની સંખ્યા 20 હજાર પહોંચી. ત્યારબાદ સાત દિવસમાં એટલે કે 28 એપ્રિલના રોજ સંક્રમિતોની સંખ્યા 30 હજાર પાર થઈ. પણ છેલ્લા 5 દિવસમાં સંક્રમિતોની સંખ્યા 30 હજારથી 40 હજાર થઈ ગઈ છે અને ત્યારબાદ 10 હજારનો આંકડો એટલે કે 50 હજાર પહોંચવામાં ફક્ત 3 દિવસનો સમય લાગ્યો છે.

મહત્વના અપડેટ્સ

  • દેશમાં 11 રાજ્ય એવા છે કે જ્યાં સંક્રમણના કેસ 1 હજારથી વધારે છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળ.
  • સુરક્ષા બળના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું કે, વધુ 85 જવાન કોરોના પોઝિટિવ મળ્યા છે. આ સાથે જ સંક્રમિત જવાનોની સંખ્યા 154 થઈ ગઈ છે.સાથે જ બે જવાન સાજા થયા છે.
  • UPમાં હોસ્પિટલમાંથી ભાગવા પર 1થી3 વર્ષની સજા
  • બુધવારે કર્ણાટક સરકારે 1610 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. તો બીજી બાજુ કેરળ હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા દર્દીઓની વ્યક્તિગત માહિતી લીક થવાની આશંકા છે. કોર્ટ આ અંગે ધ્યાન દોરે અને સરકારને દિશા નિર્દેશ આપેય જો કે, કોર્ટ આ કેસમાં આગામી સુનાવણી 11 મેના રોજ કરશે.
  • કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે લોકડાઉનની સમીક્ષા કરવા માટે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કેન્દ્ર સરકારને પુછ્યું કે 17 મે બાદ શું થશે અને લોકડાઉન ક્યાં સુધી ચાલશે? તેમણે પુછ્યું કે, ભારત સરકાર આ નક્કી કરવા માટે કયો માપદંડ અપનાવી રહી છે.
  • તેલંગાણા સરકારે લોકડાઉન 29 મે સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી કેસીઆરએ કહ્યું કે, લોકોના જીવ બચાવવા માટે આ પ્રતિબંધ જરૂરી છે અમે કોઈ પણ સ્થિતિ સામે લડવા તૈયાર છીએ.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની વેક્સીન તૈયાર કરવા અંગે મંગળવારે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી છે. ત્યારબાદ સરકાર તરફથી જણાવાયું છે કે અત્યારે 30થી વધારે વેક્સીન અંગે શોધ ચાલી રહી છે. જેમાંથી ઘણા ટેસ્ટિંગ સ્ટેજમાં છે. મોદીએ કોરોનાની ટેસ્ટિંગના ઉપાય અને વેક્સીન માટે હૈકાથોકનું સૂચન આપ્યું છે.
  • ગૃહ મંત્રાલય સુધી કોરોના પહોંચ્યો, MHAના કંટ્રોલ રૂમ નંબર-1ને સીલ કરાયો

પાંચ દિવસ જ્યારે સંક્રમણ સૌથી વધારે કેસ આવ્યા 

દિવસકેસ
04 મે3900
03 મે2676
02મે2576
01 મે2396
28 એપ્રિલ1902
રાજ્યકેટલા સંક્રમિત થયાકેટલા સાજા થયાકેટલા મોત
મહારાષ્ટ્ર155252819617
ગુજરાત62451381368
દિલ્હી5104146864
મધ્યપ્રદેશ3049 1000176
રાજસ્થાન3158152589
તમિલનાડું4058148533
ઉત્તરપ્રદેશ288098756
આંધ્રપ્રદેશ171758934
તેલંગાણા109662829
પશ્વિમ બંગાળ134426404
જમ્મુ-કાશ્મીર74132008
કર્ણાટક67333125
કેરળ50346204
પંજાબ145113325
હરિયાણા54825606
બિહાર52913404
ઓરિસ્સા1766001
ઝારખંડ1252703
ઉત્તરાખંડ613901
હિમાચલ પ્રદેશ423401
આસામ453301
છત્તીસગઢ593600
ચંદીગઢ1152101
આંદામાન-નિકોબાર333200
લદ્દાખ421700
મેઘાલય121001
પુડ્ડુચેરી120600
ગોવા070700
મણિપુર020200
ત્રિપુરા420200
અરુણાચલ પ્રદેશ010100
દાદરા નગર હવેલી010100
મિઝોરમ010000

રાજ્ય સ્થિતિ 
મધ્યપ્રદેશ, સંક્રિમતઃ3049- અહીંયા મંગળવારે 107 નવા કેસ સામે આવ્યા હતા. સાજા થનારા સંક્રમિતોની સંખ્યા 1000 થઈ ગઈ છે. રાજ્યમાં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ઘણી  છૂટ મળવાના કારણે નિયમોની ઠેકડી ઉડી ગઈ છે. રસ્તા પર સામાન્ય દિવસોથી વધારે ભીડ છે. રાજ્યમાં કોરોના સંક્રમમથી અત્યાર સુધી 175 મોત થઈ ચુક્યા છે.

આ તસવીર ભોપાલની છે. ગરમીમાં રસ્તા વચ્ચે મજૂર તરસ છીપાવી રહ્યા છે. સરકારે લોકડાઉનમાં નજૂરી કરવાની મંજૂરી આપી છે.
આ તસવીર ભોપાલની છે. ગરમીમાં રસ્તા વચ્ચે મજૂર તરસ છીપાવી રહ્યા છે. સરકારે લોકડાઉનમાં નજૂરી કરવાની મંજૂરી આપી છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ2880- અહીંયા મંગળવારે 114 નવા દર્દી મળ્યા હતા. બિજનૌરમાં સોમવારે મોડી રાતે કોરોના સંક્રમિત એક કોક્ટર અને ઝાંસીમાં એક વૃદ્ધનું મોત થયું છે. બન્ને જિલ્લામાં આ પહેલું મોત છે.

આ તસવીર લખઉનના ચારબાગ રેલવે સ્ટેશનની છે. અહીંયા શ્રમિક સ્પેશ્યલ ટ્રેનથી આકોલાથી પાછા આવેલા મજૂર પરિવારવી થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.
આ તસવીર લખઉનના ચારબાગ રેલવે સ્ટેશનની છે. અહીંયા શ્રમિક સ્પેશ્યલ ટ્રેનથી આકોલાથી પાછા આવેલા મજૂર પરિવારવી થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ15525ઃ રાજ્યમાં મંગળવારે 984 સંક્રમિત વધ્યા હતા. જેમાંથી 635 મુંબઈ સામેલ હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 31 માર્ચ સુધી રાજ્યને કોરોના મુક્ત કરવાનો તમામ જિલ્લાના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે.

આ તસવીર પટનાની છે. અહીંયા કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓ વિશેષ ટ્રેનથી દાનાપુર જંક્શન પર પહોંચ્યા. આ દરમિયાન સોશ્યલ ડિસ્ટસિંગના નિયમ ટૂટતા જોવા મળી રહ્યા છે.
આ તસવીર પટનાની છે. અહીંયા કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓ વિશેષ ટ્રેનથી દાનાપુર જંક્શન પર પહોંચ્યા. આ દરમિયાન સોશ્યલ ડિસ્ટસિંગના નિયમ ટૂટતા જોવા મળી રહ્યા છે.

રાજસ્થાન, સંક્રમિતઃ3158- રાજ્યમાં મંગળવારે કોરોના 97 નવા પોઝિટિવ કેસ મળ્યા હતા. જયપુરમાં કોરોના સંક્રમણના એક સાથે પાંચ મોત થવાનું સામે આવ્યું હતું, આ સાથે જ રાજ્યમાં મોતની કુલ સંખ્યા 82 પહોંચી ગયો હતો. 

દિલ્હીના પ્રવાસી મજૂર સરહદી રાજય ઉત્તરપ્રદેશમાં આવેલા તેમના ગામે જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે લોકડાઉનના ત્રીજા તબક્કામાં પ્રવાસી મજૂરોને તેમના ઘરે જવાની મંજરી આપી દીધી છે.
દિલ્હીના પ્રવાસી મજૂર સરહદી રાજય ઉત્તરપ્રદેશમાં આવેલા તેમના ગામે જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે લોકડાઉનના ત્રીજા તબક્કામાં પ્રવાસી મજૂરોને તેમના ઘરે જવાની મંજરી આપી દીધી છે.