કોરોના ઈન્ડિયા LIVE:કેન્દ્રએ કહ્યું- પ્રવાસી મજૂરો રસ્તા પર દેખાય તો તેમને શેલ્ટરમાં લઇ જાવ, ભોજન આપો; તેમના માટે ટ્રેન અથવા બસની વ્યવસ્થા રાજ્યોની જવાબદારી

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર મધ્યપ્રદેશના અશોકનગરની છે. રાજસ્થાનથી મોટી સંખ્યામાં બિહાર જઇ રહેલા મજૂરો અહીંથી પસાર થઇ રહ્યા છે. વહવટીતંત્ર તેમને ફુડ પેકેટ આપે છે. - Divya Bhaskar
તસવીર મધ્યપ્રદેશના અશોકનગરની છે. રાજસ્થાનથી મોટી સંખ્યામાં બિહાર જઇ રહેલા મજૂરો અહીંથી પસાર થઇ રહ્યા છે. વહવટીતંત્ર તેમને ફુડ પેકેટ આપે છે.
  • મિઝોરમે લોકડાઉન 31 મે સુધી વધાર્યું, છત્તીસગઢના CMની મોદીને અપીલ- અમુક મહિના સુધી રાજ્યોની સીમાઓ બંધ રાખો
  • સરકારે કહ્યું- સંક્રમિતોની રિકવરી રેટ 34.06 ટકા, લોકડાઉન બાદ કેસ ડબલ થવાનો રેટ વધીને 12.9 દિવસ થયો

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા શુક્રવારે 85 હજાર 546 થઇ ગઇ છે. લોકડાઉનમાં છૂટ બાદ હજારો મજૂરો શહેરોથી પગપાળા અથવા અન્ય સાધનોથી ઘરે જઇ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે કહ્યું હતું કે અત્યારે પણ પ્રવાસી મજૂરો રસ્તાઓ , રેલવે ટ્રેક અને ટ્રકોમાં દેખાય છે. જો કોઇ મજૂર રસ્તા પર દેખાય તો તેમને શેલ્ટરમાં લઇ જવામાં આવે અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે. મંત્રાલયે કહ્યું કે તે મજૂરો માટે ટ્રેન અને બસની વ્યવસ્થા રાજ્ય સરકારોની જવાબદારી છે. 
મિઝોરમ સરકારે લોકડાઉન 31મે સુધી લંબાવ્યું છે. ઘણી NGO અને સંસ્થાઓએ તેની ભલામણ કરી હતી. રાજ્યમાં કોરોનાનો એકમાત્ર દર્દી સ્વસ્થ થઇ ચૂક્યો છે. તે નેધરલેન્ડ્સથી પરત આવ્યો હતો. હવે મિઝોરમ ગ્રીન ઝોનમાં છે. બીજી તરફ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યની સીમાઓ આગામી અમુક મહિનાઓ સુધી ન ખોલવાની અપીલ કરી છે.  મહારાષ્ટ્રમાં આજે સંક્રમિતોનો આંકડો 27 હજારને પાર પહોંચ્યો છે. તો બીજી તરફ હવે તમિલનાડુ 9674 દર્દીઓ સાથે બીજા નંબરે આવી ગયું છે. સાથે જ ગુજરાત 9,592 સંક્રમિતો સાથે ત્રીજા ક્રમે છે. આ તમામ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.  શુક્રવારે રાજસ્થાનમાં 154, આંધ્રપ્રદેશમાં 102, કર્ણાટકમાં 45, બિહારમાં 06, પંજાબમાં 02, અને હિમાચલ પ્રદેશમાં 1 દર્દી મળ્યા હતા. 

અપડેટ્સ 

  • મુંબઈમાં હોટ સ્પોટ વિસ્તારોમાં લોકડાઉન 31 મે સુધી લંબાવાયું
  • મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 27 હજારને પાર,તમિલનાડુ બીજા નંબરે
  • સેના ભવનમાં એક સંક્રમિત મળ્યા બાદ બિલ્ડિંગનો એક ભાગ બંધ કરી દેવાયો
  • નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ નીટ પરીક્ષાના ફોર્મમાં ભૂલ સુધારવા અને પરીક્ષા કેન્દ્ર માટે શહેર પસંદ કરવાની અંતિમ તક આપી છે. હવે આ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થી તેમના ફોર્મમાં 31 મે સુધી સુધારો કરી શકશે. આ પગલું એટલા માટે લેવાયું છે, જેથી વિદ્યાર્થી જેટલું શક્ય હોય એટલો નજીકનું સેન્ટર પસંદ કરી શકે, કારણ કે કોરોના સંકટ વચ્ચે બીજા શહેરમાં આવવું જવું યોગ્ય નહીં હોય.
  • માલદીવથી રવાના થસે આઈએનએસ જલાશ્વઃ ઓપરેશન સમુદ્ર સેતુ હેઠળ આઈએનએસ જલાશ્વ માલદીવની રાજધાની માલેથી 700 ભારતીયોને લઈને કોચ્ચિ માટે રવાના થશે. તો બીજી બાજુ રેલવેએ માહિતી આપી છે કે ગુરુવારે 145 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ હતી. જેમાં 2 લાખ 10 હજાર મજૂરોએ મુસાફર કરી હતી.
  • સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યોઃ સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલે કહ્યું કે, તે એક સોગંદનામામાં જણાવવાનું છે કે સંબંધિત પ્રદેશ ગૃહ રાજ્યોની યાત્રા પર નીકળેલા પ્રવાસી મજૂરોની મદદ માટે અધિકારીઓની નિમણૂક અંગે કેવા પગલા લઈ રહ્યા છે.
  • ટ્રેનમાંથી યાત્રી ખોવાયાઃ હરિદ્વારના ડીએમએ કહ્યું કે, બેંગલુરુથી 1300 યાત્રિઓને લઈને એક ટ્રેન આવી, જેમાં ઘણા યાત્રિ મળ્યા નથી. તેઓ રસ્તામાં ક્યાં ઉતર્યા તેની શોધ કરાઈ રહી છે.
  • મુંબઈમાં હોટ સ્પોટ વિસ્તારમાં લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે.
  • સુપ્રીમ કોર્ટના જજે પોતાને અને પરિવારને ક્વૉરન્ટી કરી લીધા છે. જજના ઘરનો રસોઈ કરતો વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યો છે. રસોઈયો 7 મેથી રજા પર હતો અને ગઈ કાલે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
  • આંધ્રપ્રદેશની સરકાર પ્રવાસી મજૂરોની મદદ માટે રાજ્યના હાઈવે પર રિલીફ કેમ્પ લગાવવાનો નિર્ણય કર્યો છે. જેથી પગપાળા જઈ રહેલા પ્રવાસી ત્યાં આરામ કરી શકે.
  • તમિલનાડુ 9,647 દર્દીઓ સાથે દેશભરમાં બીજા નંબરે

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા 

દિવસ

 કેસ
10 મે4311
14 મે3943
13 મે3725
04 મે3656
11 મે3610

રાજ્ય

કેટલા સંક્રમિતકેટલા સાજા થયાકેટલા મોત
મહારાષ્ટ્ર27,5246,0591,019
તમિલનાડુ9,6742,24066
ગુજરાત9,5923,753586
દિલ્હી84703045115
રાજસ્થાન 45342638125
મધ્યપ્રદેશ44262171237
ઉત્તરપ્રદેશ3902207288
પશ્વિમ બંગાળ2377768215
આંધ્રપ્રદેશ2,205119248
પંજાબ193522332
તેલંગાણા141495234
બિહાર99940007
કર્ણાટક98746035
જમ્મુ કાશ્મીર98348511
હરિયાણા81843911
ઓરિસ્સા62415803
કેરળ56149304
ઝારખંડ2038703
ચંદીગઢ1913703
ત્રિપુરા 1562900
આસામ874002
ઉત્તરાખંડ785001
હિમાચલ પ્રદેશ743503
છત્તીસગઢ605600
લદ્દાખ432200
આંદામાન-નિકોબાર333300
ગોવા 150700
મેઘાલય131101
પુડ્ડુચેરી130900
મણિપુર030200
મિઝોરમ010100
અરુણાચલ પ્રદેશ010100
દાદરા નગર હવેલી010100

 રાજ્યોની સ્થિતિ
 મધ્યપ્રદેશ, સંક્રમિતઃ4426- અહીંયા ગુરુવારે 253 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં ઈન્દોરમાં 131, ભોપાલમાં 42, બુરહાનપુરમાં 35, જબલપુરમાં 10, નીમચમાં 07, ઉજ્જૈનમાં 05 અને સાગર, રીવામાં 4-4 સંક્રમિત મળ્યા છે. ભોપાલમાં સંક્રમિતોની સંખ્યા 900 ઈન્દોરમાં 2238 અને જબલપુરમાં 157 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર, સંક્રમિતઃ27524- અહીંયા ગુરુવારે 1601 કોરોના સંક્રમિત મળ્યા અને 44 લોકોના મોત થયા. આ સાથે જ કોરોનાથી થયેલા મોતનો આંકડો 1000ને પાર થઈ ગયો છે. મંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કેન્દ્ર સરકારને માંગ કરી છે કે રાષ્ટ્રને આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે દેશભરના મંદિરમાં ટ્રસ્ટ પાસેના સોનાના ભંડારને સરકાર પોતાના કબ્જામાં  લઈ લે.  ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ3902- ઉત્તરપ્રદેશ સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવી રહેલા પ્રવાસી મજૂરોને હવે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનનું ભાડું નહીં આપવું પડે. આ ખર્ચો રાજ્ય સરકાર ઉઠાવશે. રાજ્યમાં ગુરુવારે 144 નવા કેસ સામે આવ્યા હતા. 

આ તસવીર મુંબઈના ગિરગામ ચોપાટીની છે. પોલીસ આ પ્રવાસી મજૂરોને શહેરની બહાર જવા માટે ટોકન આપી રહી છે.
આ તસવીર મુંબઈના ગિરગામ ચોપાટીની છે. પોલીસ આ પ્રવાસી મજૂરોને શહેરની બહાર જવા માટે ટોકન આપી રહી છે.
આ તસવીર લખનઉ છે. પ્રવાસી મજૂર ઓટો રિક્ષામાં તેમના વતને જઈ રહ્યા છે.
આ તસવીર લખનઉ છે. પ્રવાસી મજૂર ઓટો રિક્ષામાં તેમના વતને જઈ રહ્યા છે.

 રાજસ્થાન, સંક્રમિત-4534 અહીંયા ગુરુવારે 206 સંક્રમિત મળ્યા હતા. જેમાં ઉદેયપુરામં 59, જોધપુરમાં 36, જયપુરમાં 20, જાલોરમાં 22, નાગોરમાં 17, અજમેરમાં 6 કેસ સામે આવ્યા હતા. તો બીજી બાજુ આગરાથી આવેલા 2 મહિનાના બાળકનું મોત થયું હતું. 

દિલ્હી, સંક્રમિતઃ8470- અહીંયા ગુરુવારે 472 સંક્રમિત મળ્યા હતા.187 દર્દી સાજા થયા હતા જ્યારે 9ના મોત થયા હતા. દિલ્હીના ગાઝીપુર ફળ અને શાકભાજી મંડીમાં સચિવ અને ઉપ-સચિવ સંક્રમિત મળ્યા હતા. બિહાર, સંક્રમિતઃ999- અહીંયા ગુરુવારે કોરોના સંક્રમણના 46 કેસ સામે આવ્યા હતા.જેમાંથી પૂર્ણિયામાં 9 અને ખગડિયમાં 4 દર્દી મળ્યા હતા. તો બીજી બાજુ પટના જિલ્લામાં રેસ્ટોરન્ટમાંતી જમવાની હોમ ડિલેવરીની મંજૂરી મળી ગઈ છે.  

આ તસવીર દિલ્હીની છે. ખરા બપોરે બાળકો સાથે ગાઝીપુરની સરહદ પર આ મજૂર પરિવાર થોડો આરામ કરવા બેઠો હતો
આ તસવીર દિલ્હીની છે. ખરા બપોરે બાળકો સાથે ગાઝીપુરની સરહદ પર આ મજૂર પરિવાર થોડો આરામ કરવા બેઠો હતો