તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોંગ્રેસે રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષના નેતા બનાવવાનો નિર્ણય લીધો છે. આ માટે પાર્ટીએ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને આ બાબતની જાણકારી પણ આપી દીધી છે. ખડગે 2019ની લોકસભાની ચૂંટણી હારી ગયા હતા, ત્યારબાદ ગયા વર્ષે તેમને રાજ્યસભામાં સભ્ય તરીકે લાવવામાં આવ્યા હતા.
ગત લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા રહેલા ખડગેને હવે રાજયસભામાં ગુલામ નબી આઝાદની જગ્યાએ વિપક્ષનું નેતૃત્વ કરશે. ઉપલા ગૃહમાં આઝાદનો કાર્યકાળ 15 ફેબ્રુઆરીએ પુરો થવાનો છે, જેના માટે ગૃહમાં તેમને વિદાય પણ આપવામાં આવી છે.
મોદીએ કહ્યું હતું- નવા નેતા માટે આ કામ સરળ નહીં હોય
આઝાદને વિદાય આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં કહ્યું હતું કે જે કોઈ ગુલામ નબીજી (વિપક્ષના નેતા) ની જગ્યા લેશે, તે માટે તેમને મેચ કરવાનું સરળ રહેશે નહીં. આવું એટલા માટે કે આઝાદ ફક્ત તેમની પાર્ટીની જ ચિંતા કરતાં ન હતા, પણ દેશ અને આ ગૃહની પણ ચિંતા કરતાં હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.