• Gujarati News
  • National
  • Chandrabhaga River Flow Stopped Due To Cliff In Lahaul Spiti, Flood Situation In Many Villages

હિમાચલમાં ફરી લેન્ડ સ્લાઈડ:લાહૌલ સ્પીતિમાં ભેખડના કારણે ચંદ્રભાગા નદીનો પ્રવાહ રોકાયો, અનેક ગામડાંઓમાં પૂરની સ્થિતિ

શિમલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘટના પછી સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાંક ગામો ખાલી કરાવવામાં આવ્યા. જો કે થોડો સમય બાદ પ્રવાહ ફરી શરૂ થઈ ગયો. - Divya Bhaskar
ઘટના પછી સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાંક ગામો ખાલી કરાવવામાં આવ્યા. જો કે થોડો સમય બાદ પ્રવાહ ફરી શરૂ થઈ ગયો.

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં શુક્રવારે સવારે લેન્ડસ્લાઈડ થવાથી ભેખડ ચંદ્રભાગા નદીમાં પડી હતી, જેના કારણે નદીનો પ્રવાહ રોકાય ગયો હતો. નદીનું પાણી બે ગામના કેટલાંક ઘરો અને ખેતરોમાં ભરાય ગયા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે પહાડનો એક ભાગ ધીમે-ધીમે ખસવા લાગ્યો અને પછી ભેખડે નદીનો પ્રવાહ રોકી દીધો.

સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર સુદેશ કુમાર મોખ્તાએ જણાવ્યું કે ઘટના પછી સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાંક ગામોને ખાલી કરાવવામાં આવ્યા હતા. નદીનો પ્રવાહ રોકાવવાથી તરંગ અને જસરત ગામના ચાર ઘરો સુધી પાણી પહોંચી ગયું. 30 વીઘા ખેતરોમાં પણ પાણી ભરાય ગયા. 5 ગૌશાળાઓ, એક ઘેટું અને એક વાછરડું તેમ તણાય ગયા. થોડો સમય પછી નદીનો પ્રવાહ ફરી શરૂ થઈ ગયો.

મુખ્યમંત્રીએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી
સુદેશ કુમારે જણાવ્યું કે માટીની તપાસ માટે સોઇલ સ્ટડીની ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી છે. કોઈ અઘટીત ઘટના બને તો તેનો સામનો કરવા માટે NDRFની ટીમ કુલ્લુમાં સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવી છે. ઉદયપુરમાં રહેતા વીર બહાદુર સિંહે જણાવ્યું કે ચંદ્રભાગા નદીનો પ્રવાહ ઉદયપુર સબ ડિવીઝનના નલાદા અને જસરત વચ્ચે જહાલમન ગામની પાસે રોકાયો હતો.

મુખ્યમંત્રી જયરામ ઠાકુરે વિધાનસભામાં કહ્યું કે તેઓએ ઘટના પછી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી છે. તેઓએ શક્ય હોય તેટલી દરેક પ્રકારની મદદ આપવાનું કહ્યું છે. ટ્રાઈબલ ડેવલપમેન્ટ મિનિસ્ટર રામ લાલ મારકંડા, ચીફ સેક્રેટરી રામ સુભાગ સિંહ અને DGP સંજય કુંડૂએ નદી બ્લોક થવાથી જે સ્થિતિ બની છે તેની સમીક્ષા કરી છે.

પાકિસ્તાન સુધી વહે છે નદી
હિમાલયના ઉપરના ભાગમાં આવેલા ટાંડીમાં ચંદ્રા અને ભાગા નદીઓનો સંગમ બનવાને કારણે આ નદીને ચંદ્રભાગા કહેવામાં આવે છે. કાશ્મીરમાં આ ચિનાબ નામથી ઓળખાય છે. આ સિંધુ નદીની જ એક સહાયક નદી છે. જે જમ્મુ અને કાશ્મીરના જમ્મુ ક્ષેત્રમાંથી થઈને પંજાબ અને પાકિસ્તાનના મેદાની વિસ્તારોમાં વહે છે. આ નદીનું પાણી ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સિંધુ જળ સમજૂતીની શરતો મુજબ વહેંચવામાં આવે છે.

હિમાચલમાં સતત થઈ રહ્યું છે લેન્ડસ્લાઈડિંગ

  • આ સપ્તાહે બુધવારે કિન્નૌરમાં લેન્ડસ્લાઈડિંગ થવાથી મોટી દુર્ઘટના થઈ હતી. શિમલા-કિન્નૌર નેશનલ હાઈવે-5 પર જ્યૂરી રોડના નિગોસારી અને ચૌરાની વચ્ચે અચાનક એક પહાડ પરથી ભેખડ એક બસ અને કેટલીક ગાડીઓ પર પડ્યા હતા. જેમાં અનેક લોકોના મોત નિપજ્યા હતા.
  • આ મહિનાની શરૂઆતમાં સિરમૌર જિલ્લામાં પહાડ ખસકવાને કારણે નેશનલ હાઈવ તબાહ થઈ ગયો હતો. મોટી સંખ્યામાં લોકો રસ્તામાં ફસાય ગયા હતા. કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. દુર્ઘટના શિલાઈ સબડિવિઝનના કાલી ખાન વિસ્તારમાં ઘટી હતી.
  • આ પહેલાં કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલન થવાથી પહાડ પરથી ભેખડ ધસી હતી જેના કારણે બસ્પા નદી પરનો પુલ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં 9 ટૂરિસ્ટના મોત થયા હતા. મૃત્યુ પામનારાઓમાં 4 રાજસ્થાનના, 2 છત્તીસગઢના અને એક-એક મહારાષ્ટ્ર અને દિલ્હીના રહેવાસી હતા.
અન્ય સમાચારો પણ છે...