કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને CBSEએ સ્ટૂડન્ટ્સ માટે મહત્વનો અને જરૂરી નિર્ણય કર્યો છે. 4 મેથી શરૂ થનારી 10માં ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 12માંની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે સરકાર 1લી જૂને નિર્ણય કરશે. એક્ઝામ કરાવવાનો નિર્ણય લેવાશે તો છાત્રોને 15 દિવસનો સમય આપવામાં આવશે એટલે કે પરીક્ષા 15 જૂન પછી જ લેવાશે. બંને પરીક્ષાથી જોડાયેલા સરકારના નિર્ણય....
12માંના છાત્રો માટે
10માંના છાત્રો માટે
ઓનલાઈન એક્ઝામનો કોઈ વિકલ્પ નથી
શિક્ષણ મંત્રાલયથી જોડાયેલાં એક અધિકારીએ જણાવ્યું કે શોર્ટ નોટિસ પર 12માંની ઓનલાઈન એક્ઝામ શક્ય નથી. આટલી જલદી છાત્ર પોતાની જાતને ઓનલાઈન પેટર્ન માટે કઈ રીતે તૈયાર કરી શકે? એવામાં એક્ઝામ ઓનલાઈન કરાવવી અને તેને કેન્સલ કરવા જેવાં વિકલ્પ શક્ય નથી.
આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની બુધવારે બપોરે લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠક બાદ લેવાયો છે. આ પહેલાં અનેક નેતા અને રાજ્ય સરકાર CBSEની પરીક્ષાઓ ટાળવાની માગ કરી ચુક્યા હતા.
કહેવામાં આવે છે કે બેઠકમાં અધિકારીઓની ભલામણ હતી કે 12માં અને 10માંની બંને ધોરણની પરીક્ષાઓ ટાળી દેવામાં આવે. પરંતુ વડાપ્રધાને બધાંના અભિપ્રાય સાંભળ્યા બાદમાં કહ્યું કે બાળકો પહેલેથી જ કોરોનામાં ઘણું નુકસાન અને પરેશાનીનો સામનો કરી ચુક્યા છે. એવામાં 10માં પરીક્ષા રદ કરવી જોઈએ અને 12માંની પરીક્ષાને હાલ પૂરતી ટાળી દેવી જોઈએ.
4 મેના રોજ CBSE બોર્ડની એક્ઝામ યોજાવાની હતી
CBSEની 10માં અને 12માં બોર્ડની પરીક્ષા 4મેએ યોજાવાની હતી. ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ એસોસિએશને પણ 10માં અને 12માંની પરીક્ષા ટાળવાની માગ કરી હતી. આ સંબંધમાં એસોસિએશન તરફથી શિક્ષણ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. સાથે જ છાત્રોએ સોશિયલ મીડિયા પર #CancelBoardExam2021 કેમ્પેન શરૂ કર્યું હતું.
CBSEની બોર્ડ પરીક્ષાઓમાં 10માં અને 12માં મળીને લગભગ 35.81 લાખ સ્ટૂડન્ટ સામેલ થવાના હતા. જેમાં 12માંના 14 લાખથી વધુ અને 10માંના 21.50 લાખ છાત્ર હતા.
ગત વર્ષે શું થયું હતું?
કોરોનાને કારણે ગત વર્ષે CBSEની બોર્ડ પરીક્ષાઓના કેટલાંક પેપર બાકી રહી ગયા હતા. ત્યારે 1થી 15 જુલાઈ વચ્ચે થનારા પેપર રદ કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.