• Gujarati News
  • National
  • Canada Extends Ban On Flights From India Until September 21; A Bigger Tweak To Travelers Than Planning To Go To Canada

Corona virus:કેનેડાએ ભારતથી આવતી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 21 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો; કેનેડા જવાનું પ્લાનિંગ કરતાં મુસાફરોને મોટો ઝટકો

નવી દિલ્હી2 વર્ષ પહેલા
ડેલ્ટા વેરિયન્ટના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેનેડાની સરકારે ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પરના પ્રતિબંધોને 21 સપ્ટેમ્બર સુધી લંબાવ્યા છે.
  • કેનેડાની સરકારે ફરી એકવાર ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લંબાવી દીધો
  • કેનેડામાં ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પરના પ્રતિબંધોને 21 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો

કોરોનાના કેસોને જોતા કેનેડાની સરકારે ફરી એકવાર ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લંબાવી દીધો છે. સરકારે આ પ્રતિબંધ 21 સપ્ટેમ્બર સુધી વધાર્યો છે. ફેડરલ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે આ માહિતી અગાઉના દિવસે આપી હતી.

પ્રતિબંધોને પાંચમી વખત 21 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે, અગાઉ આ પ્રતિબંધ 21 ઓગસ્ટ સુધી હતો, જે હવે 21 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. હકીકતમાં, કોરોના મહામારીની બીજી લહેર અને ડેલ્ટા વેરિયન્ટના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેનેડાની સરકારે, પહેલી વખત 22 એપ્રિલના રોજ લાદવામાં આવેલ પ્રતિબંધોને પાંચમી વખત 21 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે જાહેર આરોગ્યની સલાહ પર પ્રતિબંધ લંબાવવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત, કેનેડા સરકારે જણાવ્યું હતું કે ભારતથી કેનેડા પરોક્ષ માર્ગ દ્વારા જતા મુસાફરો માટે ત્રીજા દેશના પ્રિ ડિપાર્ચર કોરોના ટેસ્ટ સંબંધિત જરૂરિયાતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મુસાફરોએ કોવિડ નેગેટિવ RT-PCR ટેસ્ટની જરૂર રહેશે. જ્યારે, સરકારે એમ પણ કહ્યું કે જો સપ્ટેમ્બર મહિના સુધીમાં કોરોનાની સ્થિતિ સુધરશે, તો તે 7 સપ્ટેમ્બરથી પોતાની સરહદને સંપૂર્ણ રીતે વેક્સિનેટ થયેલા પ્રવાસીઓ માટે ખોલી દેશે.

કેનેડાની સરકારે ફરી એકવાર ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લંબાવી દીધો છે.
કેનેડાની સરકારે ફરી એકવાર ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લંબાવી દીધો છે.

કોરોના અપડેટ
સોમવારે દેશમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો થયો હતો. છેલ્લા 24 કલાકમાં, 27,421 નવા દર્દીઓની ઓળખ થઈ અને 41,457 સાજા થયા હતા. આ દરમિયાન 376 દર્દીઓ આ મહામારીને કારણે જીવ ગુમાવ્યો છે. આ રીતે, એક્ટિવ કેસ એટલે કે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 14,402 ઘટી છે. હવે 3.82 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ આંકડો 23 માર્ચ પછી સૌથી ઓછો છે. ત્યારબાદ 3.65 લાખ એક્ટિવ કેસ હતા. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 41,18,46,401 લોકોને કોવિડ વેક્સિન આપવામાં આવી છે.

ગયા રવિવારે દેશમાં 35 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા
તમને જણાવી દઈએ કે, ગયા રવિવારે દેશમાં કોરોના વાયરસના 35 હજાર 499 નવા કેસ નોંધાયા છે. જ્યારે 447 લોકો મૃત્યુ પામ્યા હતા. હવે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ચાર લાખ બે હજાર188 છે. દેશનો રિકવરી રેટ હવે વધીને 97.40 ટકા થયો છે.

અત્યાર સુધી વેક્સિનના કેટલા ડોઝ અપાયા?
આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ ડેટા અનુસાર, રવિવારે સાંજે 7 વાગ્યા સુધી, દેશમાં લોકોને કોરોનાની રસીની 50 કરોડ 68 લાખ 10 હજાર 492 ડોઝ અપાયા છે અને તેમાંથી 55 લાખ 91 હજાર 657 ડોઝ એક જ દિવસમાં આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...