ભાજપના સાંસદ રૂપા ગાંગુલી પછી હવે કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતની સીબીઆઈ પાસે તપાસ કરાવવા માંગ કરી છે. સુપ્રિયોએ ટ્વિટ કરી કહ્યું કે સ્યુસાઈડ નોટ નહીં મળવાથી અને કેટલાક જવાબદાર વ્યક્તિઓની અસંવેદનશીલ ટિપ્પણીથી સુશાંતના મૃત્યુ પાછળ ઘણા સવાલ ઊભા થયા છે. બીજી બાજુ આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે શનિવારે યશરાજ ફિલ્મના કાસ્ટિંગ ડાયરેક્ટર શાનુ શર્માની પૂછપરછ કરી હતી. સુશાંતે 14 જૂને આત્મહત્યા કરી હતી. ત્યારપછી ઘણી ફિલ્મી હસ્તીઓની પૂછપરછ થઈ ચૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.