અંગ્રેજ શાસનથી આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેસરી પાઘડી પહેરીને રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીની સમાધિ પર ફૂલ ચઢાવ્યા. તેમણે ગાંધીની સમાધિની પરિક્રમા પણ કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે ટ્વીટ કરીને સ્વતંત્રતા દિવસના અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવનું આ વર્ષ દેશવાસીઓમાં નવી ઊર્જા અને નવચેતનાનો સંચાર કરે. નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં લાલ કિલ્લા પર મુખ્ય સમારંભમાં સામેલ થશે. તેઓ તિરંગો લહેરાવીને દેશનો સંબોધિત કરશે. આ પ્રસંગે ઓલિમ્પિક મેડલ વિજેતાઓ લાલ કિલ્લા પર ઉપસ્થિત રહેશે. જ્યારે પ્રથમવાર સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં એરફોર્સના હેલિકોપ્ટર ફૂલ વરસાવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.