મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં એક યુવકને ઝાડ સાથે બાંધીને માર મારવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં 6 આરોપીઓ એક ન્યૂઝ ચેનલના પત્રકારને ઝાડ સાથે બાંધીને લાત અને મુક્કા મારતા જોવા મળે છે. તેને એક કલાક સુધી માર મારવામાં આવ્યો. આ દરમિયાન આરોપી યુવકે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધીને તમામ 6 આરોપીઓની ધરપકડ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ એક પત્રકાર જાહેરાત માટે બાઈક પર માના ગામ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન કોટગાંવ જતા માર્ગ પર બેલિયા પુલ પાસે નારાયણ યાદવ, નરેન્દ્ર યાદવ અને ઓમપ્રકાશ યાદવ મળ્યા હતા. જૂના વિવાદને લઈને યુવકની આરોપી નારાયણ સાથે બોલાચાલી થઈ હતી. અપશબ્દો બોલતા નારાયણે યુવકને ઝાડ સાથે બાંધી દીધો હતો. આ પછી યુવકને થપ્પડ અને લાતો અને મુક્કાથી માર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ફરિયાદીએ કહ્યું- અગાઉ પણ વિવાદ થયો હતો
ફરિયાદી યુવકના જણાવ્યા અનુસાર તેનો આરોપી નારાયણ યાદવ સાથે અગાઉ પણ વિવાદ થયો હતો. તેમના ગુસ્સાને દૂર કરવા માટે આવું કરવામાં આવ્યું છે. તેઓએ મને રસ્તામાં રોકીને પૈસા માંગ્યા હતા, પૈસા ન આપવા બદલ મને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો. યુવકનું કહેવું છે કે થોડા દિવસ પહેલા હું લગ્ન સમારોહમાં ગયો હતો, જ્યાં આ લોકો સાથે ઝઘડો થયો હતો. તે પછી અમે ફરી ક્યારેય મળ્યા નથી. આ જ બાબતે તેણે મારા પર હુમલો કર્યો છે. આ લોકો મને લગભગ એક કલાક સુધી મારતા રહ્યા, બાદમાં મને ત્યાં છોડીને ભાગી ગયા.
વીડિયોમાં આરોપીએ કહ્યું- આવું ના કર
મારપીટ દરમિયાન આરોપીએ એક વીડિયો પણ બનાવ્યો, જેમાં આરોપી કહી રહ્યો છે કે આવું ન કર યાર. આ દરમિયાન અગાઉ થયેલા વિવાદની પણ વાત છે. માર મારતી વખતે આરોપીઓ કહે છે કે તમે વિચાર્યું કે મને જ મારવામાં આવે છે, પરંતુ આ લોકોને પણ ફટકારીશ. આ દરમિયાન તે વારંવાર રાજેન્દ્ર અને સત્યમ નામના યુવકોના નામ લઈ રહ્યો છે. મારપીટ દરમિયાન આરોપીઓ ફરિયાદીને કહી રહ્યા છે કે તારા હાથ ખોલી દઈશ. આ અંગે ફરીયાદીએ ના પાડી દેતા કહે છે કે તારે સમાધાન કરવું હોય તો સમાધાન કરીલે.
વીડિયો વાઈરલ થયા બાદ કલમો વધારી દેવાઈ
મારપીટનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે FIRમાં આરોપીઓની સંખ્યા વધારી દીધી છે. ટીઆઈ પ્રવીણ કુમરેએ જણાવ્યું કે આરોપી નારાયણ યાદવ, નરેન્દ્ર યાદવ, ઓમપ્રકાશ યાદવ સિવાય ત્રણ વધુ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં કલમ 342, 147 પણ લગાડવામાં આવી છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
છેતરપિંડીનો આરોપી
માખણનગર પોલીસ સ્ટેશન ટીઆઈ કુમરેના જણાવ્યા અનુસાર કોટગાંવના રહેવાસી એક આરોપી નારાયણ યાદવ સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય આરોપીઓની પણ માહિતી લેવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.