ઉત્તરાખંડના સિતારગંજમાં એક સ્કૂલ અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ બસ પલટી જતાં બે સ્ટુડન્ટ્સના મોત થયા છે.ઉપરાંત અન્ય ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સિતારગંજની એક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટના સમયે બસમાં 6 શિક્ષકોના સ્ટાફ સહિત કુલ 56 લોકો સવાર હતા.
ઘટનાને પગલે મુખ્યમંત્રીએ ટ્વિટ કર્યું
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ ઘટનાને લઈ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. તંત્ર દ્વારા તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માતમાં વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી
આ અકસ્માતમાં બસમાં સવાર કેટલીક વિદ્યાર્થિનીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. પરંતુ સત્તાવાર રીતે કોઈ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. બે સ્ટુડન્ટના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં ઘાયલ સ્ટુડન્ટ્સની સારવાર પર જોર આપવામાં આવ્યો છે. ઘટનાસ્થળેથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સૌથી પહેલાં ત્યાં હાજર સ્થાનિકો મદદ માટે દોડી ગયા હતા. સ્થાનિકોએ લોહીલુહાન વિદ્યાર્થીઓને બસની બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા.
ચિલ્ડ્રન ડે નિમિત્તે પિકનિક પર મનાવવા ગયા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચિલ્ડ્રન ડે પર સ્કૂલના વિદ્યાર્થીઓને નાનકમત્તા ગુરૂદ્વારા ફરવા માટે લઈ જવાયા હતા. પરંતુ સિતારગંજ પાસે સ્કૂલ બસને અકસ્માત નડતા દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત સમયે બસમાં 51 બાળકો સહિત શિક્ષકો પણ સવાર હતા. ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર અને પોલીસનો કાફલો પણ દોડી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.