ભાજપના એક સાંસદ અને કેન્દ્રમાં મોદી સરકારના મંત્રીમંડળમાં સામેલ એવા કૌશલ કિશોર આજકાલ ખૂબ ચર્ચામાં આવ્યા છે. કારણ કે હજારો લોકોની ભીડ સાથે તેમણે આંદોલન શરૂ કર્યું છે. કેટલાક સમય પહેલાં તેમના 28 વર્ષના દીકરાનું નિધન થયું. જેની પાછળ એ પોતાને જ જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમણે જાહેર મંચ પરથી કહ્યું કે, મારા ઘરમાં આજે એક વિધવા બેઠી છે, અને તેનું કારણ મારી એક ભૂલ છે. કૌશલ કિશોરે આખી ઘટના વર્ણવતા કહ્યું કે કેવી રીતે તેમનો દીકરો નશાના રવાડે ચડી ગયો. કૌશલ કિશોર સાંસદ છે તો તેમનાં પત્ની ઉત્તર પ્રદેશમાં ધારાસભ્ય છે. નશાના કારણે દીકરાના અવસાન બાદ પતિ-પત્નીએ નશાબંધીને લઈને આંદોલન શરૂ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.