ચૂંટણીવાળાં રાજ્યોમાં AAP કોંગ્રેસની ગણતરી બગાડી શકે છે:ગુજરાતમાં AAPને 12.9% મત; કોંગ્રેસના 15% ઘટીને 27.3% થયા, સીટ્સ 60 ઘટી

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ભલે 5 બેઠકો મળી હોય, પરંતુ 12.9% મત મેળવીને તેણે કોંગ્રેસની ગણતરી બગાડી નાખી છે. - Divya Bhaskar
આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ભલે 5 બેઠકો મળી હોય, પરંતુ 12.9% મત મેળવીને તેણે કોંગ્રેસની ગણતરી બગાડી નાખી છે.
  • ગુજરાતમાં આપને 12.9% મત મળ્યા, કોંગ્રેસના 15% ઘટ્યા
  • મતવિભાજનનો સૌથી વધુ લાભ ભાજપને મળશે
  • ઓછા અંતરવાળી સીટો પર AAP નિર્ણાયક

આમ આદમી પાર્ટી(AAP)એ ભાજપના ગઢ ગુજરાતમાં એન્ટ્રીની સાથે જ 12.9 ટકા મત હાંસલ કરીને આ વખતે કોંગ્રેસની તમામ ગણતરી બગાડી નાખી છે. છેલ્લી ચૂંટણીમાં 42.2 ટકા મતની સાથે 77 બેઠક હાંસલ કરનાર કોંગ્રેસ પાર્ટી આ વખતે 17 બેઠક (27.3 ટકા મત) પર સમેટાઈ ગઇ છે. આની સાથે કોંગ્રેસ પાર્ટીનો દેખાવ ગુજરાતના ઇતિહાસમાં સૌથી નબળો રહ્યો છે. જ્યારે ભાજપનો દેખાવ રેકોર્ડ રહ્યો છે.

AAPએ દિલ્હી, પંજાબ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસને પછાડ્યા બાદ આ સૌથી મોટો અપસેટ છે.હવે આ બાબતની સંભાવના વધી ગઇ છે કે સ્થાપનાનાં માત્ર નવ વર્ષની અંદર રાષ્ટ્રીય પાર્ટીની પ્રતિષ્ઠા હાંસલ કરનાર અરવિંદ કેજરીવાલ આગામી વર્ષે નવેમ્બરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં તાકાત સાથે મેદાનમાં ઊતરશે. એવું થયું તો આ રાજ્યોમાં કોંગ્રેસના મત કપાઇ જવાથી ભાજપને લાભ થશે.

આપની નજર MP, રાજસ્થાન અને છત્તીસગઢ પર છે
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુકાબલો મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. આ રાજ્યોમાં બસપા ત્રીજી રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાં અત્યંત મર્યાદિત છે. અન્ય પ્રાદેશિક પક્ષો બહુ નાના છે. AAPનો ગેમ પ્લાન એ છે કે તે આ ચૂંટણીઓમાં પોતાની વોટ બેંક અને કેટલીક બેઠકો વધારવા માંગે છે, જેથી ઘણા રાજ્યોમાં તેની ઉપસ્થિતિ બની જાય.

ભાજપ-કોંગ્રેસ સિવાય બે રાજ્યોમાં AAPની સરકાર છે
પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે તેઓ આગામી 5 વર્ષ પછી યોજાનારી ચૂંટણી તરફ જોઈ રહ્યા છે, જ્યાં તેઓ કાં તો કોંગ્રેસને બદલે રાજ્યમાં કોઈ અન્ય પક્ષ અથવા પછી જ્યાં સત્તા વિરોધી પરિબળ કામમાં આવે છે, ત્યાં આપના સરકાર બનાવવાના સપના પણ છે. ગુજરાતમાં સારી મતહિસ્સેદારીને કારણે AAPનો જુસ્સો અન્ય રાજ્યોમાં વધુ તાકાત સાથે ઊતરવાનો વધ્યો છે. દેશમાં હાલમાં ભાજપ અને કોંગ્રેસને છોડીને માત્ર AAPની પાસે જ બે રાજ્યમાં સરકાર અને દિલ્હી નગર નિગમ પર કબજો છે.

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે ત્યાં AAPની સરકાર બનશે. જો કે આમ ન થયું, પણ AAP ને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ચોક્કસ મળ્યો.
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે ત્યાં AAPની સરકાર બનશે. જો કે આમ ન થયું, પણ AAP ને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ચોક્કસ મળ્યો.

રાજકીય નિષ્ણાતો માને છે કે AAPએ પંજાબથી તો તમામને ચોંકાવ્યા હતા, પરંતુ 15,000 કરોડના બજેટવાળા દેશના બીજા સૌથી મોટા નિગમ દિલ્હી નગર નિગમને ભાજપ પાસેથી આંચકી લઇને ત્યાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો કરી દીધો છે.
સાથે જોડાયેલાં ખાસ પરિબળો

  • મુસ્લિમ મત: જે લઘુમતી મતદારો ભાજપને મત આપવા ઇચ્છતા નથી તેમના માટે આપ કોંગ્રેસ ઉપરાંત નવા વિકલ્પ હોઈ શકે છે
  • મોડલ સ્ટેટ: AAP દરેક રાજ્યમાં દિલ્હી મોડલ દર્શાવીને ફ્રીબીઝ પર દાવ રમી રહી છે. એનાથી અન્ય પાર્ટીઓ પર દબાણ વધશે. આ પાર્ટીઓને લોકોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.
  • નવો ચહેરો: આમ આદમી પાર્ટી રાજ્યોમાં નવા અને સામાજિક રૂપથી સક્રિય ચહેરાઓને તક આપીને એન્ટી-ઇન્કમ્બન્સીનો લાભ ઉઠાવવામાં સફળ રહે છે.
આ ફોટો કેજરીવાલના ગુજરાત પ્રવાસના સમયનો છે, જ્યારે તેઓ અમદાવાદમાં એક ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન કરવા પહોંચ્યા હતા.
આ ફોટો કેજરીવાલના ગુજરાત પ્રવાસના સમયનો છે, જ્યારે તેઓ અમદાવાદમાં એક ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન કરવા પહોંચ્યા હતા.

ઓછા માર્જિનવાળી સીટો પર વધુ અસર થશે

  • મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં AAP જો સક્રિય થશે તો એવી સીટો પર સૌથી વધારે અસર થઈ શકે છે, જ્યાં છેલ્લી વખતે હાર-જીતમાં તફાવત નહીંવત સમાન છે.
  • રાજસ્થાનમાં છેલ્લી ચૂંટણીમાં 58 સીટ પર જીત-હાર માટે માર્જિન 5 ટકા વોટથી ઓછું રહેતાં એની હવે ગણતરી છે. આમાંથી 13 પર એક ટકા કરતાં ઓછું, 23 પર બે ટકાથી ઓછું, 39 પર ત્રણ ટકા તેમજ 47 પર ચાર ટકા કરતાં ઓછા અંતરથી હાર-જીત થઈ હતી.
  • મધ્યપ્રદેશમાં છેલ્લી ચૂંટણીમાં 71 સીટ પર ચૂંટણીમાં પાંચ ટકાથી ઓછા, 60 પર ચાર ટકાથી ઓછા, 44 પર ત્રણ ટકાથી ઓછા, 30 પર બે ટકાથી ઓછા તેમજ 16 પર જીત-હાર વચ્ચે અંતર એક ટકાથી ઓછું રહ્યું હતું.
  • છત્તીસગઢમાં 18 સીટ પર પાંચ ટકા, 14 પર 3 ટકાથી ઓછા, 6 પર બે ટકાથી ઓછા અને 2 સીટ પર એક ટકાથી ઓછા મત અંતરથી હાર-જીત થઈ હતી.
અન્ય સમાચારો પણ છે...