• Gujarati News
  • National
  • A 40 meter Long Mine Was Found On The Indo Pakistan Border, From Which The Terrorists Killed In Nagarota Came.

જમ્મુમાં LoC પર સુરંગ મળી:ભારત-પાકિસ્તાન સરહદ પર 150 મીટર લાંબી સુરંગ મળી, નગરોટામાં માર્યા ગયેલા આતંકીઓ એમાંથી આવ્યા હતા

શ્રીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં એલઓસી પર અંદાજે 150 મી. લાંબી સુરંગ મળી આવી છે. ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે નગરોટા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચારેય આતંકી આ સુરંગ માર્ગેથી જ ભારતમાં આવ્યા હતા. બીએસએફના સર્ચ-ઓપરેશન દરમિયાન એલઓસી નજીકથી આ સુરંગ મળી આવી. એ પાક.માં બનેલી રેતીની બોરીઓ અને લાકડાંથી ઢંકાયેલી હતી. સુરંગમાં પગથિયાં પણ છે. એન્કાઉન્ટર ગયા ગુરુવારે થયું હતું, જેમાં સુરક્ષાદળોએ 4 પાક. આતંકીને ટ્રક સાથે ઉડાવી દીધા હતા.

સુરક્ષાદળોએ 4 આતંકવાદીને ઠાર કર્યા હતા
સુરક્ષાદળોએ ગત ગુરુવારે જમ્મુના નગરોટામાં ચાર આતંકવાદીને ઠાર કર્યા હતા. ચારેય આતંકી દારુગોળા અને હથિયારો લઈને જમ્મુથી શ્રીનગર આવી રહ્યા હતા. બન ટોલપ્લાઝા પર એક ટ્રકમાં સુરક્ષાદળો તપાસ કરી રહ્યા હતા એ દરમિયાન અંદરથી ફાયરિંગ થવા લાગ્યું હતું. બે કલાકના એન્કાઉન્ટર પછી સુરક્ષાદળોએ ટ્રકને ઉડાવી દીધી હતી, જેમા ચારેય આતંકી ઠાર થયા હતા.

370 હટાવ્યા પછી 194 આતંકી માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી 402 દિવસમાં 211 આતંકી ઘટના બની છે, જેમાં 194 આતંકી માર્યા ગયા છે. આ ઘટનાઓમાં 49 જવાન શહીદ થયા છે.

અન્ય સમાચારો પણ છે...