તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત હવે તેની આકાશ મિસાઇલ સિસ્ટમની નિકાસ કરશે. કેન્દ્રીય કેબિનેટે તે અંગેના પ્રસ્તાવને બુધવારે મંજૂરી આપી. આકાશ એર ડિફેન્સ સિસ્ટમ ડીઆરડીઓએ વિકસાવી છે. કેબિનેટનો આ નિર્ણય આત્મનિર્ભર ભારતની દિશામાં મોટું પગલું છે, કેમ કે આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદવા પૂર્વ એશિયા અને આફ્રિકાના 9 દેશે ઇચ્છા વ્યક્ત કરી છે.
આકાશ મિસાઇલ સિસ્ટમની નિકાસ કરવાનો નિર્ણય
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કેબિનેટના નિર્ણય અંગે માહિતી આપતાં કહ્યું કે આત્મનિર્ભર ભારત મિશન અંતર્ગત દેશ સંરક્ષણ ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારી રહ્યો છે, મિસાઇલ બનાવવાની ક્ષમતા પણ વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આકાશ મિસાઇલ સિસ્ટમની નિકાસ કરવાનો નિર્ણય લેવાયો. આકાશ મિસાઇલના જે વર્ઝનની નિકાસ કરાશે તે ભારતીય સૈન્યના કાફલામાં સામેલ મિસાઇલથી અલગ હશે. સરકારે વર્ષ 2025 સુધીમાં 35 હજાર કરોડ રૂ.ના સંરક્ષણ ઉપકરણોની નિકાસનું લક્ષ્ય રાખ્યું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.