તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રયાગરાજના વિશ્વપ્રસિદ્ધ માઘ મેળામાં કોરોનાના ભય સામે શ્રદ્ધા ભારે પડી ગઈ. ગુરુવારે માઘ મેળાના સૌથી મોટા સ્નાનપર્વમાં જોડાવા માટે શ્રદ્ધાળુઓ બુધવારથી જ પહોંચવા લાગ્યા હતા. રાત્રે 12 વાગ્યા પછી અમાસની તિથિ આવતા જ પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકીઓ મારવાની શરૂઆત થઈ ગઈ.
ગુરુવારે રાત્રે 9 વાગ્યા સુધીમાં આશરે 35 લાખ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી. કોરોનાકાળમાં સંભવત: આ પહેલીવાર છે જ્યારે દેશ-દુનિયામાં કોઈ સ્થળે આટલી મોટી ભીડ એકઠી થઈ હોય. બીજી બાજુ ગુરુવારે માઘ મેળામાં આવેલા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરાઈ હતી. મેળા અધિકારી વિવેક ચતુર્વેદીએ કહ્યું કે સ્નાન માટે 8 કિ.મી.માં 8 ઘાટ બનાવાયા છે. સીસીટીવી અને ડ્રોનની મદદથી નજર રખાઈ રહી છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.