સરવે:દેશમાં 33% યુવાનો નથી ભણતા, નથી નોકરી કરતા

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15થી 29 વર્ષની વયના લોકોને આવરી લઈ કરાયેલા સંશોધનનું તારણ

માંડ 29 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતું ભારત, દુનિયામાં સૌથી ઓછી સરેરાશ ઉંમર ધરાવે છે. જોકે, ચિંતા એ વાતની છે કે દેશના 15થી 29 વર્ષની વયના 32.9% યુવાનો ના તો ભણે છે, ના તો કોઈ કામધંધો. એટલું જ નહીં, તેઓ કોઈ જ પ્રકારની તાલીમ પણ નથી લઈ રહ્યા.નેશનલ સેમ્પલ સરવે ઓફિસ (એનએસએસઓ)ના આ મહિને જાહેર કરાયેલા રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે.

એનએસએસઓએ તમામ રાજ્યના કુલ 2.9 લાખ પરિવાર પર જાન્યુઆરી 2020થી ઓગસ્ટ 2021 વચ્ચે આ સરવે કર્યો હતો.દેશમાં બેકાર યુવાનોમાંથી 20.3% યુવાનો તો કામ શોધતા પણ નથી. 69.8% ઘરેલુ કામ કરે છે, જ્યારે 1.5% યુવાનો આરોગ્યના કારણે કામ કરવા યોગ્ય જ નથી અને 2.3% બસ એમ જ સમય બરબાદ કરી રહ્યા છે.જો કમ્પ્યુટરના જ્ઞાનની વાત કરીએ તો 15થી 29 વર્ષની ઉંમરના 61.6% યુવાનોને તો કોપી-પેસ્ટ કરતા પણ નથી આવડતું. જો કોઈ એટેચમેન્ટ સાથે ઈ-મેલ મોકલવો હોય તોપણ 73.3% યુવાનોને તે અશક્ય લાગે છે.

ભોજન બનાવવા માટે ક્લિન એનર્જીના ઉપયોગમાં ચંડીગઢ હવે ટોપ સ્થાને

  • ચંડીગઢમાં સૌથી વધુ 98.3% લોકો કુકિંગ, લાઈટિંગ અને હીટિંગ માટે ક્લિન એનર્જીનો ઉપયોગ કરે છે. દિલ્હી (82.9%) સાથે બીજા ક્રમે.
  • પંજાબમાં 59%, હરિયાણામાં 55%, ગુજરાતમાં 41%, મ.પ્રદેશ-રાજસ્થાન અને બિહારમાં 22%, ઝારખંડમાં 15%, છત્તીસગઢમાં 14% લોકો કુકિંગ, લાઈટિંગ, હીટિંગમાં ક્લિન એનર્જીનો ઉપયોગ કરે છે.
  • ક્લિન એનર્જીનો સૌથી ઓછો ઉપયોગ નાગાલેન્ડ (6.7%) અને મણિપુર (8.3%)માં થાય છે. (ક્લિન એનર્જીમાં એલપીજી, અન્ય કુદરતી ગેસ, ગોબર ગેસ, બાયોગેસ, સોલર કે હવાથી પેદા થતી વીજળી અને સોલર કુકર સામેલ છે.

મોટાં રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, બિહાર અને પંજાબના યુવાનો સૌથી ‘ખાલી’

  • ભણતર, નોકરી અને તાલીમ નહીં કરતા સૌથી વધુ યુવાનો લક્ષદ્વીપ (54%)માં અને સૌથી ઓછા અરુણાચલ (5%)માં છે.
  • દેશમાં 15થી 29 વર્ષની વયના 34.9% લોકો અભ્યાસ, તાલીમ નથી લેતા. લદાખમાં 61.6% સાથે આવા સૌથી વધુ યુવાન છે.
અન્ય સમાચારો પણ છે...