તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોલકાતા: સીએએના વિરોધમાં દેખાવો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે પહોંચ્યા. કોલકાતામાં મુખ્યમંત્રી મમતા તેમને રાજભવનમાં મળ્યાં. મમતાએ કહ્યું કે મેં પીએમ સમક્ષ કેટલીક નાણાકીય માગણીઓ સાથે સીએએ, એનઆરસી તથા એનપીઆર મુદ્દે વાત કરી અને વિરોધ વ્યક્ત કરી કહ્યું કે હું સીએએ અને એનઆરસીનું સમર્થન નથી કરતી. તે પરત ખેંચવામાં આવે. મુલાકાત બાદ મમતા વિરોધ પ્રદર્શનમાં પહોંચી ગયાં અને કહ્યું- સીએએ લાગુ નહીં થાય. મોદીએ કોલકાતામાં 4 ઐતિહાસિક ઇમારતોનું લોકાર્પણ કર્યું. તેમણે કહ્યું કે આ બાંગ્લા ભૂમિની પવિત્ર મહેકને નમન કરવાનો સમય છે. આકાશમાં ભલે એક ચંદ્ર ચમકે છે પણ બંગાળે દુનિયાને સુભાષ ચંદ્ર, ઇશ્વર ચંદ્ર જેવા અનેક ચંદ્ર આપ્યા છે. યુવા અવસ્થામાં પણ બંગાળની ધરતી મને અહીં ખેંચી લાવી હતી. કેન્દ્રનો પ્રયાસ છે કે ભારતના સાંસ્કૃતિક સામર્થ્યને દુનિયા સમક્ષ લાવીએ, જેથી હેરિટેજ ટૂરિઝમને પ્રોત્સાહન મળે.
ઈમારતોના લોકાર્પણ સમયે મોદીએ કહ્યું...
વિપ્લવી ભારત મ્યુઝિયમની સ્થાપના થાય: મોદી
મોદીએ કહ્યું કે કોલકાતા ભારતનાં સર્વોચ્ચ સાંસ્કૃતિક સ્થળોમાં સામેલ છે. અહીંની 4 ઐતિહાસિક ઇમારત ઓલ્ડ કરન્સી બિલ્ડિંગ, બેલવેડર હાઉસ, મેટકાફ હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ હૉલ સંસ્કૃતિ દર્શાવે છે. એક મ્યુઝિયમ ‘વિપ્લવી ભારત’ જરૂર સ્થાપિત થવું જોઇએ, જ્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝ, અરબિંદો ઘોષ, રાસ બિહારી બોઝ, ખુદીરામ બોઝ, દેશબંધુ જેવાં નામોને સ્થાન મળવું જોઇએ.
બે શતાયુ પૂર્વ કર્મચારી સન્માનિત થશે
મોદી કોલકાતા પોર્ટ ટ્રસ્ટનાં 150 વર્ષ પૂરાં થવાના સમારોહમાં હાજરી આપશે. કોલકાતા પોર્ટ ટ્રસ્ટના હાલના તથા નિવૃત્ત કર્મચારીઓને સંકટગ્રસ્ત પેન્શન ફંડ માટે મોદી 501 કરોડ રૂ.ના ચેક સોંપશે. તેઓ 100 વર્ષના થઇ ચૂકેલા ટ્રસ્ટના બે પેન્શનર નગીના ભગત (105) અને ચંદ્ર ચક્રવર્તી (100)ને સન્માનિત પણ કરશે. તેઓ કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું ગીત પણ લૉન્ચ કરશે.
રબીન્દ્ર સેતુ પર લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમનું અનાવરણ
કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદીએ હાવરા બ્રિજ પર લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમનું અનાવરણ કર્યું હતું. કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ થયો હતો જેમાં રબીન્દ્ર સેતુ(હાવરા બ્રિજ) પર ડાયનામિક આર્કિટેક્ચરલ ઇલ્યૂમિનેશન વિથ સિન્ક્રોનાઇઝ્ડ લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમનું અનાવરણ કર્યું હતું. આ સમયે મુખ્યમંત્રી મમતા બેનરજી પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ પતાવીને મમતા બેનરજી પાછા તૃણમુલ કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા પહોંચી ગયા હતાં.
#WATCH West Bengal: Prime Minister Narendra Modi unveiled Dynamic Architectural Illumination with synchronised light & sound system of Rabindra Setu (Howrah Bridge) today, as a part of 150th anniversary celebrations of #Kolkata Port Trust pic.twitter.com/qzOFQBShJb
— ANI (@ANI) January 11, 2020
PM Narendra Modi unveils the Dynamic Architectural Illumination with synchronised light & sound system of Rabindra Setu (Howrah Bridge), as a part of 150th anniversary celebrations of Kolkata Port Trust. CM Mamata Banerjee also present. pic.twitter.com/OiaDQADje9
— ANI (@ANI) January 11, 2020
#WATCH: PM Narendra Modi meets West Bengal CM Mamata Banerjee in Kolkata. The Prime Minister is in Kolkata to take part in 150th anniversary celebrations of the Kolkata Port Trust. pic.twitter.com/6r6ghcLlSu
— ANI (@ANI) January 11, 2020
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.