શ્રીનગર, રાજભવનથી હેમંત અત્રી/ઉપમિતા વાજપેયી: ડાલ લેકના કિનારે રાજા હરિસિંહના મહેલમાં બનેલા ગવર્નર હાઉસમાં રાજ્યપાલ સત્યપાલ મલિકને મળવા માત્ર એપોઈન્ટમેન્ટ લઈને પહોંચનારા જ નથી હોતા બલ્કે કશું જણાવ્યા વિના મદદ માંગનારા પહોંચી જાય છે. મલિક કહે છે કે હાલમાં મળવાવાળા ઓછા છે તો કામ ઓછું છે. જ્યારે તેઓ કાશ્મીરના રાજ્યપાલ નિમાયા ત્યારે 30 વર્ષ પછી કોઈ નેતા આ ખુરશી પર બેઠો હતો. લોકો તેમને ટ્વિટર અને વોટ્સએપ દ્વારા મદદ માંગે છે. તેઓ મદદ કરે પણ છે. હાલમાં રાજ્યમાં ઇન્ટરનેટ બંધ છે. અફવા અને આશંકા વચ્ચે મલિકનો પ્લાન તૈયાર છે. ખીણમાં હાલની સ્થિતિ વચ્ચે રાજ્યપાલે પ્રથમવારે કોઈ અખબાર સાથે વાતચીત કરી તેના મુખ્ય અંશ...
પ્રશ્ન: શું મુકેશ અંબાણી સિવાય કોઈ બીજાએ કાશ્મીરમાં રોકાણ માટે સંપર્ક કર્યો છે?
રાજ્યપાલ: મેં ક્યારેય રાહુલ ગાંધીને અહીં આવવાનું આમંત્રણ નથી આપ્યું. તેઓ જે કહી રહ્યા હતા, એ વિશે મેં તેમને અહીં આવીને સમજવાનું કહ્યું હતું, જેથી તેઓ આડેધડ ના બોલે. મેં સુરક્ષા દળોને પણ સ્થિતિનો તકાજો લેવાનું કહ્યું છે, ત્યાર પછી જ કોઈને અહીં આવવાની મંજૂરી અપાશે. મેં રાહુલ ગાંધીની કોઇ શરત માની નથી કે માનવાનો પણ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.