તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્વીટી એક ચોવીસ વર્ષીય યુવતી છે, જે નર્સીંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. તેની એક માત્ર તકલીફ એ જ છે કે છેલ્લા એક મહિનાથી રાતે ઊંઘ નથી આવતી. અનેક અલગ અલગ નુસખાઓ જેમકે 108 વાર ભગવાનના નામનો જાપ કરવો, દોરા-ધાગા બાંધવા, લીલી ચટણીની બદલે લાલ ચટણી ખાવી, વગેરે અપનાવી જોયા, પરંતુ રાતે ઊંઘ તો નથી જ આવતી.
એમ પણ માનસિક આરોગ્યને લઈને રહેલી માન્યતાઓને લીધે, નિષ્ણાત પાસે આવતા પહેલાં આપણા દેશમાં લોકો બીજા બધાજ નુસખાઓ અપનાવી લેતા હોય છે. એક વસ્તુ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે રાતે ઊંઘ ન આવવી એ સમસ્યા નહીં પરંતુ સમસ્યાનું એક લક્ષણ માત્ર છે. સાચી સમસ્યા જ્યારે આપણે નિષ્ણાત પાસે જઈએ ત્યારે બહાર આવે છે.
સ્વીટી પોતાના કામને લઇને ખૂબ જ ખુદ્દાર છે. દરેક વ્યક્તિના અસ્તિત્વનું કેન્દ્રબિંદુ અલગ હોય છે. અમુક લોકો માટે એ કેન્દ્રબિંદુ પોતાના પ્રિયજનો હોય છે, તો અમુક લોકો માટે એ પોતાનું કામ હોય છે. પણ ઘણીવાર આપણા મનને હેરાન કરતા વિચારો આપણે આપણા અચેતન મનમાં ધકેલી આપીએ છે. અચેતન મનમાં રહેલા વિચારો ગાયબ નથી થયા, પરંતુ અલગ અલગ માધ્યમથી બહાર આવે છે. એમનું એક માધ્યમ છે ઊંઘ, બીજું માધ્યમ છે સપનાંઓ અને ત્રીજું માધ્યમ છે ગુસ્સો અથવા ચીડિયાપણું.
ઝલકને પોતાના આખા વિદ્યાર્થીકાળમાં પહેલી વાર કોઈ શિક્ષકે એવું કહેલું કે તારે આ રિપોર્ટમાં થોડી વધારે મહેનત કરવાની જરૂર છે. ના તો એ વસ્તુ કોઈ ખરાબ રીતે ઠપકાના ટોનમાં કહી હતી અને ના તો એ ટીચર કોઈ ખરાબ માણસ હતું. ઝલકને પોતાને પણ એ જ આશ્ચર્ય થયું કે શું આટલી સહજ રીતે કહેલી વાત આટલી હદે મને હેરાન કરે છે? આપણે જે વસ્તુને જીવનમાં સહુથી વધુ મહત્ત્વ આપીએ છીએ એના લક્ષી કોઈ આપણને કઈ કહે એ આપણા મનમાં રહેલી જૂની ઇનસિક્યોરિટી બહાર આવી જાય.
આ સિવાય પણ આપણા રૂટિન બદલવાના કારણે પણ ઊંઘમાં તકલીફો આવવી સામાન્ય છે. ઘણા લોકો જે શિફ્ટ પ્રમાણે કામ કરતા હોય છે જેમકે એરપોર્ટ કર્મચારીઓ, વૉચમેન, પોલીસ ઓફિસર, વિગેરે.
શું નીચેના 6 પ્રશ્નોમાંથી 4 અથવા વધુના જવાબ હા છે? તો નજીકના મનોચિકિત્સકનો સંપર્ક કરો:
સારી ઊંઘ માટે શું કરવું અને શું ના કરવું?
શું કરવું?
શું ન કરવું?
મન: ઊંઘ આપણી અંદર રહેલી સામાન્ય ક્રિયા છે, એના માટે મહેનત કરવી ન પડવી જોઈએ, એટલે ઊંઘ ન આવવું એક લક્ષણ માત્ર છે. એની પાછળનું કારણ જાણવું ખૂબ મહત્ત્વનું છે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.