Divyabhaskar.com
Sep 13, 2019, 01:31 PM ISTઅમદાવાદઃ આઉટસોર્સિંગ દ્વારા થતી ભરતીને પડકારતી રીટ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજદારે આઉટસોર્સિંગ દ્વારા કરવામાં આવતી ભરતીમાં થતી ગેરરીતિના દાવા સાથે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જેને લઈને હાઈકોર્ટે સરકારી વકીલને મહત્વની ટકોર કરી હતી કે તમે તમામ સરકારી ખાતાઓમાં આઉટસોર્સિંગથી એજન્સી દ્વારા ભરતી કરો છો.
જો આવી જ પરિસ્થિતિ રહેશે તો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની પણ આઉટસોર્સિંગ કંપની દ્વારા જ નિમણૂંક કરાવો.