તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ: સેટેલાઈટના ગુલમહોર મોલના ત્રીજા માળે આવેલા ફાસ્ટફૂડ સેન્ટરના કિચનમાં ગેસની પાઇપલાઈનમાં શુક્રવારે મોડી સાંજે આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. 500થી વધુ લોકોને મોલની બહાર ખસેડી દઈ આખો મોલ ખાલી કરી દેવાયો હતો.
બીજી તરફ સમયસર પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે આગનો ધુમાડો મોલમાં ફેલાય તે પહેલા જ તેની પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ જો આગ કાબૂમાં ન આવી હોત તો મોલમાં કરવામાં આવેલી આર્ટિફિશિયલ સજાવટને કારણે મોટી દુર્ઘટના બની હોત તેવું ફાયરના અધિકારીનું કહેવું છે. ફાયરબ્રિગેડના અભિપ્રાયને આધારે મોલમાં ઊભી કરેલી તમામ સજાવટ દૂર કરવામાં આવશે તેવું અધિકારી સૂત્રોનું કહેવું છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.