તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદઃ કોરોના અંગે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના સમાચાર વાઈરલ થતાં રહે છે. આનાથી લોકોમાં ભય પણ ફેલાય છે. વાઈરલ થનારા મોટાભાગના સમાચાર ખોટા હોય છે. દિવ્ય ભાસ્કર હવે આવા વાઇરલ સમાચારની તપાસ કરી વાચકોને સાચું જણાવશે.
વાઈરલ મેસેજ: અમદાવાદ મિલિટરી હોસ્પિટલમાં કોરોનાનો પોઝિટિવ કેસ
શનિવારે એક મેસેજ વાઈરલ થયો કે અમદાવાદની મિલિટરી હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિની ઉંમર 24 વર્ષની છે. જર્મનીથી આવેલા સંબંધી સાથે સંપર્કમાં આવતા તેને ચેપ લાગ્યો છે. મેસેજ વાઈરલ થતાં જ તેની તપાસ કરાવી તો આર્મી પીઆરઓ વિંગ કમાન્ડર પુનિત ચઢ્ઢાએ કહ્યું કે આ સમાચાર ખોટા છે. કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી.
વાઈરલ મેસેજ: જ્યાં 10થી વધારે કર્મચારી ત્યાં કામ બંધીના આદેશ
કેન્દ્ર સરકારના અંડર સેક્રેટરી રાજેન્દ્રકુમારના નામથી બે દિવસથી એક પત્ર વાઈરલ થઈ રહ્યો છે. તેમાં જણાવાયું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉ.પ્ર. અને સિક્કીમમાં રજા જાહેર કરી દેવાઈ છે. શાળા-કોલેજ, યુનિ. બંધ કરવાના આદેશ અપાયા છે. 10થી વધુ કર્મચારી કામ કરતા હોય તે સંસ્થાને પણ બંધ કરવા જણાવાયું છે. ગુજરાતના આરોગ્ય સચિવ જયંતી રવિએ આ પત્ર નકલી ગણાવ્યો, પછી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી.
ચીન કોરોનામુક્ત થયું: રાષ્ટ્રપતિ
મેસેજ વાઈરલ થયો કે ચીનના રાષ્ટ્રપતિ માસ્ક વગર વુહાન ગયા અને ત્યાં તેમણે સમગ્ર ચીનને કોરોનામુક્ત જાહેર કર્યું. ભાસ્કરે ચીનની સરકારી વેબસાઈટ પરથી ચેક કરી જાણ્યું કે આ સમાચાર ખોટા છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.