તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંતૂર દિગ્ગજ પંડિત સતીશ વ્યાસને મધ્ય પ્રદેશ સરકાર દ્વારા પ્રતિષ્ઠિત તાનસેન સંગીત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગ્વાલિયરમાં પાંચ દિવસનો તાનસેન સંગીત સમારોહ યોજાયો છે, જેના આરંભિક દિવસ 25 ડિસેમ્બરે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમાં રૂ. 2 લાખ અને પ્રશસ્તિપત્રનો સમાવેશ થતો હતો. મધ્ય પ્રદેશના સાંસ્કૃતિક મંત્રી ઉષા ઠાકુર અને વીજ મંત્રી પ્રદ્યુમ્ન સિંહ તોમરને હસ્તે પુરસ્કાર અપાયો હતો. મધ્ય પ્રદેશ સરકારનું સાંસ્કૃતિક બાબતોનું સંચાલનાલય શાસ્ત્રીય સંગીત જગતમાં અપાતા પ્રતિષ્ઠિત પુરસ્કારમાંથી આ એક છે.
વ્યાસ સાથે સંગીતને પ્રોત્સાહન આપવાના ક્ષેત્રમાં કામ કરતી અભિનય કલા પરિષદ સંસ્થાને રાષ્ટ્રીય રાજા માનસિંહ તોમર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જ્યુરીમાં શોભા ચૌધરી, કલ્પના ઝોહરકર, બલવંત પુરાણિક, રાજીવ વર્મા, અભિષેક નિગમ, રસબિહારી શરન જેવી નામાંકિત સંગીત હસ્તીઓએ પુરસ્કાર વિજેતાઓની પસંદગી કરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.