તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોનગઢ તાલુકાના ઝાડપાટી ગામે રહેતા એક આઘેડ પોતાની બાઈક લઈ નવાપુર હાઇવે પર આવેલ ચચરબુંદા ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ગંભીર ઇજા થઇ હતી અને સારવાર દરમિયાન તેમનું મરણ નીપજ્યું હતું.ઝાડપાટી ગામે રહેતા શિવાજીભાઈ ગામીત (60) ખેતી કરી ગુજરાન ચલાવાતા હતા.રવિવારે બપોરે બાઈક લઈ કામ અર્થે નવાપુર જવા નીકળ્યા હતા.આ બાઈક બપોરના સમયે ચચરબુંદા થી જૂની થુંટી ગામ તરફ જતા રસ્તે થી પસાર થઇ રહી હતી ત્યારે અન્ય બાઈક નંબર GJ-26-E-9188 ના ચાલકે બાઈક પૂરઝડપે હંકારી શિવાજીભાઈની બાઈક સાથે અથડાવી હતી.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ શિવાજીભાઈને સારવાર અર્થે સોનગઢ સરકારી દવાખાને લઇ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઉચ્છલ પોલીસ મથકે અકસ્માત સર્જનાર બાઇકચાલક સામે ગુનો દાખલ કરાયો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.