તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાલાલા તાલુકા આહીર સમાજના પ્રમુખ ભીમશીભાઈ એચ. બામરોટિયાના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના શ્રેષ્ઠીઓએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સમાજ વધુને વધુ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે, સમાજ વધુ સંગઠિત અને યોગ્ય ક્ષેત્રે અને યોગ્ય દિશામાં વધુ કામ કરે, શિક્ષણમાં આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં યુવાવર્ગ વધુ આગળ વધે તે દિશામાં કામ કરવા માટે સમાજના સમાજ શ્રેષ્ઠીઓએ હાકલ કરી હતી.
સમાજના પ્રમુખ ભીમસીભાઈ બામરોટીયા દ્વારા તમામ દાતાઓનો શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. સંમેલનમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, હિરેનભાઈ બારડ, હરદાસભાઈ સોલંકી, જગમાલભાઈ વાળા, મેરૂભાઈ પંપાણિયા, દેવશીભાઈ સોલંકી, વેજાભાઈ વાળા, ડો. રામભાઈ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.