તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથ આવ્યા હતા. અને સોમનાથ મહાદેવનાં દર્શન, પુજા કરી હતી. ગુજરાત કોરોના મુક્ત બને અને સૌનાં કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લોકડાઉન બાદ મંદિરો ખુલતા જ દર્શન, પુજા કરવાની ઇચ્છા હતી. જે આજે પૂર્ણ થઇ છે. આ ઉપરાંત ગીર-સોમનાથમાં વધતા કોરોનાનાં કેસને લઇ અધિકારીઓને સુચના આપી હતી. તકેદારી રાખવા કહ્યું હતું.
સીએમ ગાંધીનગર જવા રવાના થયા ત્યારે જ હેલીકોપ્ટરમાં કોઇ ખામી સર્જાઇ હતી. જેથી સીએમ કાફલા સાથે કાર મારફત પોરબંદર જવા રવાના થયા હતા. અને ત્યાંથી ગાંધીનગર ગયા હોવાનું જાણવા મળે છે.
બિસ્માર રોડ પરથી નીકળીને કાફલો પોરબંદર એરપોર્ટ પહોંચ્યો હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા મુખ્યમંત્રીના કાફલાએ પોરબંદર સુધીથી બાય રોડ જવાનું નક્કી કર્યું હતું. જોકે, થોડી મરામત કર્યા બાદ હેલિકોપ્ટર રિપેર થયું હતું. પરંતુ ફરી ખામી સર્જાતા સોમનાથથી બાયરોડ માણાવદર થઈને કાફલો પોરબંદર એરપોર્ટ પહોંચ્યો હતો.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.