દાનહ મહેસુલી વિભાગે સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાનું અભિયાન ચાલુજ રાખ્યું છે.સોમવારે પ્રશાસનના આ વિભાગે વિવિધ પટેલાદમાં 7 ઢાબાના દબાણો દૂર કર્યા હતા. દાનહ કલેકટરના દિશાનિર્દેશ અનુસાર સેલવાસ અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા સરકારી જમીન, કોતર અને નહેર પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામોને દુર કરવાની કામગીરી 4 એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી.
જે હાલમાં પણ ચાલી રહી છે સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા સાયલી ગામમા સરકારી જમીન પર ત્રણ દુકાનો અને એક ઘર અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા દપાડા પટેલાદના વાસોણા,પાટી અને ચીંચપાડા ગામમા 7 ઢાબા ગેરકાયદેસર બનેલા હતા જેનું ડિમોલિશન કરવામા આવ્યુ હતું. પ્રશાસને કોઈએ પણ સરકારી જમીન અને સરકારી કોતર કે નહેર પર ગેરકાયદે અતિક્રમણ કર્યું હોય તેઓ જાતે જ હટાવે નહીં તો પ્રશાસન તેને દુર કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.