તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાનહના મસાટગામે ચાલીમાં રહેતા યુવકની રાત્રીએ અજાણ્યા ઇસમોએ ચાકુ મારીને હત્યા કરી હતી. આ કેસમાં રવિવારે સેલવાસ પોલીસ હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી હતી. માર્ગ ચાલતા બે ઇસમો સામસામે અથડાતા થયેલા ઝઘડામાં એક યુવકે બીજાને ચાકુના ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું બહાર આવ્યું છે.\nસંઘપ્રદેશ દાનહના મસાટ ખાતે રમેશભાઇની ચાલીમાં રહેતા અને આદિત્ય કંપનીમાં નોકરી કરતો રામપ્રતાપ દેવિદયાલ સીંગ (21) મૂળ રહેવાસી યુપી કંપનીમાંથી છૂટી ઘરે જઇ રહ્યો હતો.
તે સમયે દારૂના નશામાં સામેથી ચાલીને આવતો નીરજકુમાર શિવમણિ સાહ (18વર્ષ) મૂળ નિવાસી ઝારખંડ હાલ મસાટ હસમુખભાઈની ચાલમાં બંને સામસામે અથડાયા હતા. નીરજ અને રામપ્રતાપ વચ્ચે બલાચાલી થઇ હતી. નીરજે ગુસ્સામાં આવી પોતાની પાસે રાખેલ ચાકુ વડે રામપ્રતાપ પર અનેક ઘા કરી દીધા હતા. આરોપી હુમલો કર્યા બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘાયલ અવસ્થામાં રામપ્રતાપને સેલવાસ સિવિલમાં લવાયો હતો પણ સારવાર મળે એ પહેલા એનું મોત થયું હતું.
રવિવારે સેલવાસ એસપી હરેશ્વર સ્વામીએ જાણકારી આપતા કહ્યું હતું કે, બાતમીના આધારે નીરજ લુહારીના જંગલમાં છુપાયો છે પોલીસ ટીમે એની ધરપકડ કરી હતી. તેમજ ખૂન કરવા માટે વપરાયેલ હથિયાર પણ મળી ચૂક્યું છે. જોકે આરોપી અને મૃતક બંને એકબીજાને ઓળખાતા નથી. નાની સરખી બોલાચાલીને લઇ આ ઘટના બનવા પામી છે. આરોપી વિરુધ્ધ હત્યાના ગુના નોંધી તપાસ મસાટ પોલીસે હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.