તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાદરા નગર હવેલીના ખાનવેલ તલાવલી પારસપાડા ગામે એક આદિવાસી પરિવારનું ઘર કોઈક કારણસર અચાનક આગ લાગતા આખું બળીને ખાક થઇ ગયુ હતું. પ્રાપ્ત વિગત અનુસાર દેવજી ચાઇતા સાપ્તા રહેવાસી તલાવલી ખાનવેલ જેઓ મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.જેઓનાં ઘરમાં અચાનક કોઇ કારણથી આગ લાગી ગઈ હતી.
આગ લાગેલી જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો સાથે જ ફાયર વિભાગને ફોન કરતા ફાયરની ટીમ પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં દેવજીભાઈનું આખુ ઘર બળીને ખાક થઇ ગયું હતું.એમના પરિવારમાં ત્રણ બાળકી અને એક બાળક છે.
આ ઘટનામાં ઘરની અંદર કપડા, અનાજ સહિત બધી જ વસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી.આ અંગે જાણ થતા ગામના અગ્રણીઓ સહિત સેલવાસનાં સામાજિક કાર્યકર્તાઓ ઘટના સ્થળે પહોચી કપડા અને અનાજ સહિત જરૂરી ચીજવસ્તુઓની સહાય કરી હતી. ઘટનામાં સદનશીબે કોઇ દાઝ્યુ ન હતું.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.