આરોપીને સજા:ઉમરગામ તાલુકામાં 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને વાપી કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા એક ભેંસના તબેલામાં કામ કરતા શખ્સે સગીરાને લગ્ન કરવાનો લાલચ આપીને સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. 9 માર્ચ 2022ની મધ્યરાત્રિએ સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપી સગીરાનું અપહરણ કરી ભગાડી લઈ ગયો હતો. તે કેસમાં વલસાડ પોલોસે આરોપીની ધરપકડ કરી હતી તે કેસ વાપીની પોકસો એકટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં કેસ ચાલી જતા DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજ કે જે મોદીએ આરોપીને કસૂરવાર ઠેરવી આરોપી યુવકને 10 વર્ષની સજા ફટકારી હતી.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતા એક પશુ પાલકની 16 વર્ષીય સગીરાને તબેલામાં કામ કરતા એક યુવકે લગ્ન કરવાની લોભામણી લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી. ઘટનાની જાણ સગીરાને પરિવારજનોને જાણ થતા યુવકને સગીરાથી દૂર રહેવા અને તબેલામાં કામ કરી ઘરે જતા રહેવા સૂચના આપી હતી. યુવકે 9મી માર્ચ 2022નો મધ્ય રાત્રીએ સગીરાને માતા પિતા ઉંઘમાં હતા તે દરમ્યાન સગીરાનું અપહરણ કરી ગયો હતો. ઘટના અંગે નજીકના પોલીસ મથકે સગીરાની માતાએ યુવક ઉપર આંશકા દર્શાવી અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં વલસાડ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. તે કેસ વાપીની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતા DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ધ્યાને રાખીને, સાથે મેડિકલ પુરાવાઓ અને સગીરાની જુબાનીને ધ્યાને રાખીને વાપીની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજ કે જે મોદીએ આરોપીને 10 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

વાપીના પોકસો એક્ટ હેઠળ નાં સ્પેશીયલ જજ કે જે મોદીએ 16વર્ષની કિશોરીનું કાયદેસરના વાલીપનાંમાંથી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ કરનાર આરોપીને DGP અનિલ ત્રિપાઠીની દલીલોને નામદાર કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી આરોપીને આઇ.પી.સી ની કલમ. 363નાં ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા તથા ₹. 5 હજાર દંડ અને જો દંડ નહિ ભરે તો વધુ એક વર્ષની સજા તથા આઇ પી સી ની કલમ. 366નાં ગુનામાં દસ વર્ષની સખત કેદની સજા અને ₹.5 હજારનો દંડ અને જો દંડ નાં ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા તથા પોક્સો એક્ટ ની કલમ. 5 (એલ) સાથે વાંચતા કલમ.6 નાં ગુનામાં વીસ વર્ષની સખત કેદની સજા અને ₹.5 હજારનો દંડ અને જો દંડ નહિ ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા કરતો હુકમ તથા ભોગનનનારને પાંચ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...