ભરઉનાળે ચોમાસા જેવો માહોલ:રાજ્યમાં હવામાન વિભગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં પણ કમોસમી વરસાદ

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. માર્ચ મહિનામાં રસ્તાઓ પાણી પાણી જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોને ગરમીમાં રાહત અનુભાઈ હતી. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ખેતીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. વલસાડ ડિઝાસ્ટર વિભાગના ચોપડે વરસાદ નોંધાયો નથી.

રાજ્ય હવામાન વિભગની આગાહીને લઈને વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્ય હવામાન વિભાગમાંથી આગાહી આવતા વલસાડ જિલ્લા કલેક્ટર અને ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના કમોસમી વરસાદની આગાહીને લઈને ખાડુતોને એલર્ટ કર્યા હતા. સાથે રવીપાક આંબાવાડીઓ રાખતા ખેડૂતો અને શાકભાજીના પાક ઉપર નભતા ખેડૂતોને વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ ન કરવા અને કમોસમી વરસાદ ગયા બાદ ખેતીવાડી વિભાગના અધિકારીઓની સલાહ લઈને જરૂરી દવાનો છંટકાવ કરવા અપીલ કરવામાં આવી હતી.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી, અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો, APMCમાં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવી, APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ખેતીવાડી વિભાગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી કૃષિ સંશોધન કેન્દ્ર, પરિયા અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર -18001801551 નો સંપર્ક કરવા જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...