દાનહમાં પ્રસાસન દ્વારા ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ અને દબાણો દૂર કરવાના અભિયાવનમાં સોમવારે અથાલ ગામે પંચાયત કચેરી પાછળ સરકારી શાળા પરિસરમાં સ્થિત ગેરકાયદે ઘરનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું.દાદરા નગર હવેલી પ્રશાસનના મહેસુલ વિભાગ દ્વારા સરકારી જગ્યાઓ નહેર કોતર પર ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તેવા મકાનો ઢાબા દીવાલોને જેસીબી વડે ડિમોલિશનના કામગીરી ચાલી રહી છે.
જે અંતર્ગત અથાલ ગામે પંચાયત કચેરી પાછળ સરકારી શાળા પરિસરમાં ગેરકાયદેસર ઘર બનાવવામાં આવેલું હતું જેને મહેસુલ વિભાગ દ્વારા નોટિસ આપી ઘર ખાલી કરવા માટે સુચના અપાઇ હતી. છતાપણ તેઓએ નોટિસનું પાલન નહિ કરતા મહેસુલ વિભાગ દ્વારા આ ગેરકાયદે બનાવવામાં આવેલા ઘરનું સોમવારે સંબંધિત અધિકારીઓની હાજરીમાં ડિમોલીશન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.