વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC કોલોની ખાતે ગોવર્ધનનાથજીની હવેલીના 15માં પાટોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે "સથવારો રાધેશ્યામનો" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીનાથજી બાવાની ઝાંખી કરાવતો રંગારંગ કાર્યક્રમનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત શ્રોતાજનો શ્રીનાથજીની વિવિધ ઝાંખીઓના દર્શન કરી અને રંગારંગ કાર્યક્રમ નિહાળી મંત્રમુગ્ધ બન્યા હતા. કાર્યક્રમ નિહાળી શ્રોતાજનો કૃષ્ણની ભક્તિમાં મગ્ન બન્યા હતા.
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC કોલોની ખાતે ગોવર્ધનનાથજીની હવેલીના 15માં પાટોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે "સથવારો રાધેશ્યામનો" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીનાથજી બાવાની ઝાંખી કરાવતો રંગારંગ કાર્યક્રમનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત શ્રોતાજનો શ્રીનાથજીની વિવિધ ઝાંખીઓના દર્શન કરી અને રંગારંગ કાર્યક્રમ નિહાળી મંત્રમુગ્ધ બન્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણલાલ પાટકરના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉમરગામ અને આજુબાજુના વિસ્તારના લોકોએ અને વૈષ્ણવોએ મોટી સંખ્યામાં કાર્યક્રમ નિહાળ્યો હતો. જેમાં કૃષ્ણ જન્મ, રાસલીલા સહિતની વિવિધ ઝાંખીઓ કલાકારો દ્વારા રજુ કરવામાં આવી હતી. અને શ્રોતાજનો કૃષ્ણની ભક્તિમાં મગ્ન બન્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.