વલસાડના પારડી તાલુકાના અંબાચ ગામે ગેરકાયદેસર ક્વોરીના વિરોધમાં પારડી ચાર રસ્તાથી પારડી મામલતદાર કચેરી સુધી આદિવાસી સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા.
ગેરકાયદેસર ક્વોરીના ગ્લાસના કારણે આજુબાજુના ત્રણ ગામના લોકો પરેશાન થયા છે અને લોકોના મકાનો પણ તૂટી ગયા છે. પીવાના પાણીના સ્ત્રોત પણ નીચે જતા રહેતા લોકો ઘરવિહોણાં પાણી માટે વલખાં મારી રહ્યા છે.
જેને લઇને સ્થાનિકોએ અનેકવાર અનેક રજૂઆત કરી હતી પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા આખરે આદિવાસી સમાજ દ્વારા વાંસદાના ધારાસભ્યના અનંત પટેલ અને અન્ય આદિવાસી નેતાઓને મળીને પોતાની રજૂઆત કરી હતી. જો આ સમસ્યાનું નિરાકરણ ન આવે તો હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી પણ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.