વલસાડ જિલ્લામાં 7મી જૂનના રોજ વલસાડ તાલુકામાંથી 1 અને ઉમરગામ તાલુકામાંથી 1 મળી આજે 2 કોરોના સંક્રમિત જાહેર થતા આરોગ્ય વિભગની ટીમ દોડતી થઈ હતી. સંક્રમિત દર્દીઓને વિસ્તારમાં કોરોના જાગૃતિ અને લક્ષણો ધરાવતા લોકોના RTPCR ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાના સામાન્ય લક્ષણ જણાઈ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર ટેસ્ટિંગ કરાવવા અપીલ કરી છે.
વલસાડ જિલ્લામાં થોડા દિવસોથી સંક્રમણનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસ જાણે જિલ્લામાંથી ચાલ્યો ગયો હોય તેમ લોકો બિન્દાસ ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા હતા. ત્યારે આજરોજ વલસાડ તાલુકા અને ઉમરગામ તાલુકાના સંક્રમિત દર્દીઓની કોન્ટેક અને ટ્રાવેલ હિસ્ટ્રી મેળવી આરોગ્ય વિભાગની ટીમે સંક્રમણ ઘટાડવા પ્રયાસ હાથ ધર્યો છે. બંને દર્દીઓ સંક્રમિત જાહેર થતા જિલ્લા આરોગ્ય વિભગની ટીમ દોડતી થઈ હતી.
વલસાડ જિલ્લામાં કુલ 7 જેટલા દર્દીઓ એક્ટિવ કેસ નોંધાયા છે આ 7 દર્દીઓ પૈકી વલસાડ તાલુકામાં 3, પારડી તાલુકામાં 1, ઉમરગામ તાલુકામાં 2, અને વાપી તાલુકામાં 1 મળી કુલ 6 એકીટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2 કોરોના સંક્રમીટ દર્દીઓએ કોરોનાને માત આપી જિંદગીની જંગ જીત્યા છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 5,83,449 લોકોએ ટેસ્ટ કરાવ્યા જેમાંથી 5,70,725 દર્દીઓ નેગેટિવ જ્યારે 12,724 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 12,220 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી હતી. જ્યારે માત્ર કોરોનાના કારણે 84 જ્યારે કોમોડિટીના કારણે 412 કોરોના સંક્રમિતોના મૃત્યુ થયા છે. તો જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી સૂચારૂં રીતે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 31,21,914 જેટલા ડોઝ મુકવામાં આવ્યા છે. બુસ્ટર ડોઝની સંખ્યા 86,679 સુધી પહોંચી છે.
વલસાડ માં વધતા કોરોના ના કેસ ને લઈ જિલ્લા કલેકટર નો મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે વલસાડ જિલ્લામાં આવેલી તમામ કચેરીઓમાં આવતા લોકો તથા સરકારી કર્મચારીઓએ માસ્ક ફરજીયાત પહેરવા જિલ્લા કલેક્ટર દ્રારા આદેશ કરવામાં આવ્યા છે.વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં 7 કેસ કોરોના એક્ટિવ કેસ નોંધાયા છે જેને પગલે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્રારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાની તમામ સરકારી કચેરીમાં બહારથી આવતા લોકો અને સરકારી કચેરીમાં કામ કરતા તમામ કર્મચારી અને અધિકારીઓને માસ્ક ફરજિયાત પહેરવા માટે જિલ્લા કલેકટર દ્રારા આદેશ કરવામાં આવ્યા છે જિલ્લામાં કોરોના સંક્રમણ ન વધે તે માટે અને લોકો ની સલામતી માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.