તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડ જિલ્લા અને શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા અને સંક્રમિત લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે જિલ્લા કલેકટરની સુચના મુજબ વલસાડ શહેરના ત્રણ રેપિડ ટેસ્ટ સેન્ટર ઉપર શુક્રવારે કુલ 189 લોકોએ રેપિડ ટેસ્ટ કરાવ્યા હતા. 189 લોકોમાંથી 53 લોકો સંક્રમિત જાહેર થતાં આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમિત લોકોને હોમ આઇસોલેશનમાં રહેવા જરૂરી સુચના અને માર્ગદર્શન અપાયું હતું.
વલસાડના લોહાણા સમાજ હોલ ખાતે રેપીડ ટેસ્ટ સેન્ટર ઉપર 68 કોરોના રેપીડ ટેસ્ટ પૈકી 12 કોરોના સંક્રમિત, હાલર તળાવ ખાતે 90 રેપિડ ટેસ્ટ પૈકી 23 કોરોના સંક્રમિત અને સાઈલીલા મોલ ખાતે 31 રેપીડ ટેસ્ટ પૈકી 18 કોરોના સંક્રમિત લોકો જાહેર થયા હતા. વલસાડ જોલ્લા આરોગ્ય વિભાગની ટીમે તમામને RTPCR ટેસ્ટ કરાવવા અને હોમ આઈસોલેશનમાં રહેવા સૂચના આપી હતી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.