તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અબ્રામા પાસે રેલવે ઓવરબ્રિજ નજીક આવેલા સાઇલીલા મોલમાં ધ લકઝરી એન્ડ એસ્કેપ સ્પામાં દેહવિક્રય મામલે જાન્યુઆરીમાં નોંધાયેલા કેસમાં સ્પાના આરોપી મેનેજરની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી એડિ.સેશન્સ જજ એમ.આર.શાહે જામીન અરજી નાંજૂર કરી દીધી હતી. વલસાડમાં 5 જાન્યુઆરી 2021ના રોજ એલસીબીની ટીમે સાઇલીલા મોલમાં ચાલતા ધ લકઝરી એન્ડ એસ્કેપ સ્પા એન્ડ વેલનેસ સેન્ટર પર દરોડો પાડતા દોડધામ મચી ગઇ હતી.
દરમિયાન સ્પામાંથી સિક્કિમની 2 અને મુંબઇની 2 લલના મળી આવી હતી.આ સાથે પોલિસે મેનેજર નીલકુમાર પ્રણવેશ ભૌમિક,હાઉસ કીપર કર્મી મોહમદગઝાલી મો.ફારૂક શેખ અને ગ્રાહક મુુદૂલ મહેન્દ્ર લાલવાણી સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા હતા.આ સ્પાની મુખ્ય સૂત્રધાર મુંબઇની પૂનમ જૈન નામની મહિલા સંચાલક વિરૂધ્ધ પણ ગુનો દાખલ કરાયો હતો.આ કેસના આરોપી મેનેજર નીલકુમારે ભૌમિકે 4 ફેબ્રુ.ગુરૂવારે અત્રેની સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા કરેલી અરજીની સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી એડિ.સેશન્સ જજ એમ.આર.શાહે અરજી નામંજૂર કરી દેતો હુકમ કર્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.