તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લામાં કાળા બજારિયા તત્વો સામે કાર્યવાહી કરવા હાલમાં જ કલેકટર આર.આર.રાવલે પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી કડક કાર્યવાહીના આદેશો જારી કર્યા હતા.જેના પગલે ખાસ કરીને કપરાડા જેવા અંતરિયાળ તાલુકામાં ચેકિંગ કરવા જિલ્લા પુરવઠા અધિકારી વી.સી.બાગુલ અને કપરાડા મામલતદાર કે.એસ.સુવેરાની ટીમ જોગવેલ ગામની ફલોર એન્ડ રાઇસ મિલમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.
આ દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક નં.એમએચ-04-ઇએલ-0504માં તેમજ રાઇસ મિલમાંથી ઘંઉ અને ચોખાનો જથ્થાની તપાસ હાથ ધરાઇ હતી.રાઇસ મિલના સંચાલકોની પૂછપરછમાં આ જથ્થાનો કોઇપણ બિલો મળી આવ્યા ન હતા.તેમજ અનાજનો જથ્થો સરકારી હોવાનું બહાર આવ્યું હતું.કોઇ નક્કર આધારપૂરાવા ન મળતાં પુરવઠા ટીમે 87200 કિગ્રા ઘંઉનો રૂ.13.95 લાખનો જથ્થો,7950 કિગ્રા ચોખાનો જથ્થો કિમત રૂ.1.35 લાખ અને રૂ.4.75 લાખની ટ્રક મળી કુલ રૂ.20.05 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સરકારી અનાજ લોકો આપી જાય છે તેવો લૂલો બચાવ
પુરવઠા ખાતાની પુછપરછમાં રાઇસ મિલના સંચાલકોનો લુલો બચાવ પણ જોવા મળ્યો હતો.તેમના જણાવ્યા અનુસાર લોકડાઉનમાં સરકારે ફ્રીમાં જે લોકોને ઘંઉનો જથ્થો આપ્યો હતો તે લોકો ઘંઉનો ઉપયોગ ન કરતા નથી જેથી રાઇસ મિલોમાં વેચી નાંખે છે અને કપરાડા તાલુકામાં ડાંગરનો પાક પણ લેતા હોય છે જેથી સરકાર દ્વારા સસ્તા અનાજની દૂકાનોમાં મળતા ચોખા રાઇસ મિલોને આપી દેતા હોય છે આવું પ્રાથમિક પુછપરછમાં જણાવ્યું હતું.
મિલમાંથી મુંબઇ ખાતે જથ્થો મોકલાય છે
કપરાડા તાલુકામાં રાઇસ મિલમાંથી સરકારી અનાજનો જથ્થો મહારાષ્ટ્રના મુંબઇ ખાતે મોકલાયે છે તેવું સપાટી પર આવ્યું છે.જોગવેલની રાઇસ મિલમાં જ મહારાષ્ટ્રના પાસિંગની ટ્રકમાંથી અનાજનો જથ્થો સીઝ કરાયો હતો.
બાઇક ચાલકને અધિકારીએ ખખડાવ્યો
વલસાડ જિ.પુ.અધિકારી બાગુલે જણાવ્યું કે, માલતદાર સાથે જ્યારે સરકારી અનાજનો જથ્થો ચેક કરાતો હતો ત્યારે એક બાઇકચાલક પોતાની બાઇક ઉપર કોથળામાં અનાજ ભરીને રાઇસ મિલમાં આવ્યો ત્યારે તેને પૂછતાં અનાજ મિલમાં આપવાનું છે તેમ જણાવ્યું હતું. જોકે સરકાર તેમને ખાવા માટે અનાજ આપે છે આમ વેચવા નહિ તેવુ જણાવી ખખડાવી નાંખતા પરત થઇ ગયો હતો.
માલ ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ થશે
સરકારી અનાજ ક્યાંથી આવ્યું તેના બિલ રજૂ કરાયા નથી.આ જથ્થો કોઇ સસ્તા અનાજની દૂકાનોમાંથી આવ્યો છે કે કેમ તે માટે દૂકાનોમાં સરકાર દ્વારા ફાળવાતા અનાજના સ્ટોકનું મેળવણું કરાશે. > વી.સી.બાગુલ,જિ.પુ.અધિકારી
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.