દાનહના નરોલી ગામે સરકારી શાળાના નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે જેમાં મજૂરી કામ કરતા અને ત્યાં જ રહેતો એક મજૂર રાત્રે આકસ્મિક રીતે નીચે પટકાતા એનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તે ન દેખાતા શોધખોળમાં તેની લાશ નીચે પડેલી મળી હતી.
નરોલી ગામે મોરી ફળિયામાં પ્રશાસન દ્વારા જૂની શાળાનું મકાન તોડી એની જગ્યાએ નવું મકાન બનાવવામાં આવી રહ્યું છે. જેનું કામ યોગેશ કન્સ્ટ્રક્શન એજન્સીને સોપવામાં આવેલું છે. હાલમાં અમ્રત કોન્ટ્રાકટરના અંડરમાં મજૂરો અહીં કામ કરી નિર્માણાંધીન બિલ્ડીંગમાં જ રહે છે.
જેમાંથી એક મજૂર સાવલસીંગ ઉ.વ.40 મૂળ રહે રાજસ્થાન જે રાત્રે જમ્યા બાદ બીલ્ડીંગમાં ઉપર જતો રહ્યો હતો. એની સાથે રહેતા બીજા મજૂરો ખાઈને સુવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે સાવલસીંગ ન દેખાતા આજુબાજુ શોધખોળ કરી બિલ્ડીંગની નીચે જોતા તે પટકાયેલો જોવા મળ્યો હતો.
સાથી કામદારોએ તાત્કાલિક કોન્ટ્રાક્ટરને ફોન કર્યો હતો અને સાથે સામે જ પોલીસ સ્ટેશન હોય પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઇ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલાવી હતી.નરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.