15 ઓગસ્ટ, 2021ના રોજ દેશના ઘણા રેલવે સ્ટેશન ઉપર 100 ફૂટથી વધુ ઊંચાઇએ 24 કલાક અને 365 દિવસ રાષ્ટ્રધ્વજ લહેરાવવાની પરમીશન આપવામાં આવી હતી. જેમાં વલસાડ રેલવે સ્ટેશન ઉપર પણ 100 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવા માટે છૂટ આપવામાં આવી હતી. 15 ઓગસ્ટ, 2021ના રોજ વલસાડના ARM અનુ ત્યાગીના હસ્તે 100 ફૂટથી વધુ ઊંચાઇએ રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવ્યો હતો. ગણતરીના મહિનાઓમાં આ રાષ્ટ્રધ્વજનો કલર ઉડી ગયો છે અને આ રાષ્ટ્રધ્વજ ફાટેલી હાલતમાં લહેરાતો જોવા મળતાં દેશભક્તોની લાગણીઓ દુભાઈ હતી.
75માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વલસાડ રેલવે સ્ટેશનની રોનક વધારવા માટે રેલવે વિભાગ દ્વારા 100 ફૂટ ઊંચા પોલ ઉપર 20X30 ફૂટનો ભારતનો રાષ્ટ્રધ્વજ રેલવેના ARMના હસ્તે લહોરાવવામાં આવ્યો હતો. વલસાડ રેલવે સ્ટેશન ખાતે કરોડોના ખર્ચે નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રધ્વજે વલસાડ રેલવે સ્ટેશનની રોનક વધારી હતી. જે ફ્લેગ ફાટી જતાં દેશભક્તોમાં રોષની લાગણી જોવા મળી હતી અને મોડી રાત્રે વલસાડ રેલવે વિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.