વલસાડ શહેરમાં 21 એપ્રિલના રોજ અબ્રામા ખાતે આવેલી મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસના સંચાલક શહેરના અલગ-અલગ વેપારીઓ પાસેથી સામાન મંગાવી બેંકનો ચેક આપી કુલ 13.57 લાખની છેતરપિંડી આચરી હતી. તે કેસમાં ઝડપાયેલા આરોપી બાલકૃષ્ણ જગદીશભાઈ ઠક્કરે 24મી મે 2020ના રોજ સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી વલસાડ સેશન્સ કોર્ટના જજ પ્રકાશકુમાર એ પટેલે જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
વલસાડના શહેર અને આજુબાજુના વિસ્તારોના વેપારીઓને 21 એપ્રિલ 2022ના રોજ અબ્રામા ધરાનગર ખાતે આવેલી મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં વિવિધ વસ્તુઓ મંગાવી વેપારીઓને બે દિવસ બાદ નો બેન્કોના ચેક આપી ચેક 2 દિવસ બાદ ખાતામાં જમા કરવા જણાવ્યું હતું. સોમવારે વેપારીઓએ ખાતામાં ચેક જમા કરતા લક્ષ્મી એન્ટરપ્રાઇઝનો ચેક બાઉન્સ થયો હતો.
વેઓરીઓએ મહાલક્ષ્મી એન્ટરપ્રાઈના સંચાલકને ફોન કરતા મોબાઈલ ફોન બંધ મળી આવ્યો હતો. શહેરના વેપારીઓએ મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝની ઓફિસે તપાસ હાથ ધરી હતી. વેપારીઓને ઓફિસને તાળું મળી આવતા વેપારીઓ સાથે ઠગાઈ થયા હોવાની જાણ થઈ હતી. વલસાડ સીટી પોલીસ મથકે વલસાડ શહેરના વેપારીઓએ કુલ 13.57 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
જે કેસમાં ઝડપાયેલા આરોપી બાલકૃષ્ણ જગદીશભાઈ ઠક્કરે 24 મે 2022ના રોજ વલસાડની સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર વલસાડના ડીજીપી અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી વલસાડ સ્ટેશન કોર્ટના જજ પ્રકાશકુમાર એ પટેલે આરોપી બાલકૃષ્ણ ઠક્કરના જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.