રાજકારણ:વાઘોડિયામાં કોંગ્રેસ-ભાજપ આપમાં જોડાયાં

વાઘોડિયા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડીયા તાલુકાના કોંગ્રેસ-ભાજપના 150 થી વઘુ કાર્યકરોએ પક્ષ છોડી આમ આદમીનુ ઝાડું પકડ્યું તે તસવીરમાં દ્રશ્યમાન થયું. - Divya Bhaskar
વાઘોડીયા તાલુકાના કોંગ્રેસ-ભાજપના 150 થી વઘુ કાર્યકરોએ પક્ષ છોડી આમ આદમીનુ ઝાડું પકડ્યું તે તસવીરમાં દ્રશ્યમાન થયું.
  • પ્રજા મોંઘવારીના મારથી પરેશાન હોઇ કાર્યકરોએ ભાજપ-કોંગ્રેસ પાર્ટી છોડી
  • વિધાનસભાની તમામ સીટો ઊપર આમ આદમી પાર્ટી લડવાના મૂડમાં દેખાઇ

વાઘોડિયામા આમ આદમી પાર્ટી કાર્યકરોને જોડાવવા માટે વાઘોડિયા એપીએમસી હોલ ખાતે સમી સાંજે કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમા ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સહિત ખેડૂતો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આપના વડોદરા જી. પ્રમુખ જયદિપ સિંહ ચૌહાણ, ગુજરાત મધ્ય દક્ષીણ જોન સહ સંગઠણ મંત્રી રાજુ ભાઈ અલવા, વાઘોડિયા તાલુકા પ્રમુખ રતન સિંહ સોલંકી સહિતના આગેવાનોની હાજરીમા આશરે 150થી વધુ કાર્યકરોને આપની ટોપી અને ખેસ પહેરાવ્યો હતો.

પેટ્રોલ ડિઝલના વઘતા ભાવ, રાંઘણ ગેસના ભાવો, મોટા વિજબીલો, કોરોનામા હોસ્પિટલના મસમોટા બીલો વસુલી પ્રજાનુ શોષણ સરકાર કરી રહી છે. હવાઈ સેવા, ટ્રેનસેવા અને બીજા ટ્રાન્સપોર્ટનુ ખાનગીકરણ કરવાની હિલચાલ કરતા પ્રજાને ભાડાનો મોટો માર પડવાનો છે. ભાજપ સરકારના રાજમાં શિક્ષણનું ખાનગીકરણ કરી વેપાલો થઈ રહ્યો છે. અત્યારે વરસાદની અછત છે. ત્યારે ગુજરાત સરકાર વિવિધ તાયફાના નામે પ્રજાના કરોડો રૂપીયાનુ એંઘાણ કરી સરકારી તિજોરી ખાલી કરી રહીછે. ત્યારે પ્રજા મોંઘવારીના બેવડા મારથી પરેશાન થઈ હવે આમઆદમી પાર્ટીમા જોડાઈ પોતાના હક્કોની લડાઈ લડશે. તેમજ વિધાનસભામાં તમામ સીટો ઊપર આમ આદમી પાર્ટી લડવાનો મુડ બનાવ્યો છે.