તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેર નજીક જામ્બુઆ ગામમાં એક યુવકે મહિલાને મારેલા લાફાની અદાવતમાં ત્રણ જણાએ યુવકને ગળાના ભાગે ચપ્પાના ઘા મારી હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 35 વર્ષનો મનોજ પરમાર નામનો યુવક વીસી ચલાવે છે. 3-4 દિવસ પહેલાં તેને જામ્બુઆની મહિલા મળી ત્યારે યુવક સાથે તેના લગ્ન બાબતે થયેલી વાતમાં ઝઘડો થયો હતો. તે સમયે મનોજે આ મહિલાને બે લાફા માર્યા હતા. ત્યારબાદ મામલો પોલીસમાં પહોંચતાં બંને પક્ષે સમાધાન થયું હતું.
જોકે રવિવારે રાત્રે મહિલાના 2 પુત્રો સંજય અને ગણેશ તેના મિત્ર ઋત્વિક સાથે ઊભા હતા ત્યારે તેણે મનોજ પરમારને જોયો હતો, જેથી પોતાની માતા સાથે કરેલા ઝઘડાની અદાવતમાં ત્રણેય જણાએ ઉશ્કેરાઈ જઈ મનોજ સાથે ઝઘડો કર્યો હતો અને જીવલેણ હુમલો કરી ચપ્પાના ગળાના ભાગે ઘા માર્યા હતા. ગંભીર ઇજા પામેલા યુવકને એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. મકરપુરા પોલીસને મામલે જાણ કરવામાં આવતાં પોલીસ મોડી રાત્રે સયાજી હોસ્પિટલમાં પહોંચી હતી અને આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવકના લગ્ન બાબતે થયેલા ઝઘડામાં હત્યા થઈ હતી કે પછી વીસીના પૈસા બાબતે ઝઘડો થયા બાદ હત્યા થઈ હતી તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.