તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આયુર્વેદિક તબીબોને સર્જરી કરવાની છૂટ આપતા સરકારના નવા કાયદા સામે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને બાંયો ચઢાવી છે. મંગળવારે વડોદરા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ) દ્વારા જિલ્લા કલેકટર ઓફિસ પરિસર ખાતે આઇએમએના તબીબો પ્લેકાર્ડ સાથે મૌન દેખાવો કરશે. જ્યારે શહેરની દરેક મેડિકલ કોલેજમાં પણ પ્લેકાર્ડ લઇને વિરોધ કરશે. એટલું જ નહીં 11મી ડિસેમ્બરે સવારે 6 વાગ્યાથી સાંજના 6 સુધી કોવિડ અને ઇમર્જન્સી સિવાયની ઓપીડી આઇએમએ સાથે સંકળાયેલા તબીબો બંધ રાખશે. આ વિશે આઇએમએના સેક્રેટરી ડો. પરેશ મજમુદારે જણાવ્યું કે, ‘ મેડિકલ એજ્યુકેશન અને મેડિકલ પ્રેક્ટિસનું ખીચડીફિકેશન કરવામાં આવ્યું છે. આના વિરોધમાં આઇઆઇએમની રાષ્ટ્રીય કાર્યકારી કમિટી દ્વારા દેશવ્યાપી કાર્યક્રમો કરવાનું નક્કી કરાયું છે.’ મંગળવારે બપોરે 1.30 વાગ્યે કલેક્ટર ઓફિસ પરિસર ખાતે 20 જેટલા તબીબો પ્લેકાર્ડ સાથે આ પોલિસીનો વિરોધ કરશે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.