તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
10 દિવસ પૂર્વે કોરોનાગ્રસ્ત થયેલા મેયર કેયૂર રોકડિયાએ નિયમ મુજબ 14 દિવસ બાદ બહાર નીકળવાનું હતું, પણ નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક હોવાથી 10મા દિવસે જ ઘરની બહાર કોરોના રેખા ઓળંગી હતી. 25 માર્ચે મેયર કેયૂર રોકડિયાએ પોતે કોરોનાથી સંક્રમિત હોવાની જાણકારી આપી હતી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. 5 દિવસની સારવાર બાદ તે ઘરે આવ્યા હતા અને 30 અને 31 માર્ચની બજેટ સભા ઓનલાઇન કરી હતી. આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું કે, શહેરના પ્રથમ નાગરિક મેયર લોકો માટે પ્રેરણાદાયી પદ છે.
ત્યારે મેયર કેયુર રોકડિયાએ 15 દિવસનું આઇસોલેશન પૂરું થાય પછી રિપોર્ટ કરાવીને બહાર નીકળવું જોઈએ. દુર્ભાગ્યવશ શહેરના પ્રથમ નાગરિક કાયદાનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા, જે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થયા તેવો તેમણે આક્ષેપ કર્યો હતો. જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર મેયર સામે કડક પગલાં લેવાવાં જોઈએ તેવી પણ તેમણે માગ કરી છે. જ્યારે મેયરે જણાવ્યું કે, તેમણે શુક્રવારે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે, તેમાં ચિંતા જેવી બાબત નથી.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.