તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના વાસણા રોડ વિસ્તારમાં આવેલી યોગેશ્વર કૃપા સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 88,500ની મતાની ચોરી કરી હતી. બનાવના સંબંધમાં પોલીસે ગહન તપાસ હાથ ધરી વિવિધ લોકોની પુછપરછ શરુ કરી હતી. શહેરના વાસણા રોડ રાણેશ્વર મહાદેવ ચોકડી પાસેની યોગેશ્વર કૃપા સોસાયટીમાં રહેતા નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર ગિરીશભાઈ જયંતીભાઇ શાહે ફરિયાદ નોંધાવી હતી કે, 12 તારીખે તેઓ મકાન બંધ કરી પરિવાર સાથે શ્રીનાથજી દર્શન કરવા ગયા હતા.
દરમિયાન 15 તારીખે તેઓ ઘેર પરત આવતાં તેમને જાણ થઇ હતી કે બંધ મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યા બાદ બેડરૂમ અને પહેલા માળના પૂજાના રૂમમાં કબાટમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના તથા 15 હજાર રોકડા મળીને 88,500ની ચોરી કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.