વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વતન બિહારમાં જઇ આત્મહત્યા કરી લીધી હતી.
આપઘાતનું રહસ્ય અકબંધ
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી આનંદ શર્મા ચાર દિવસ પહેલા જ વતન બિહારના ગયો હતો. જ્યાં બિહારના ગયા ખાતે તેણે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીએ આવું પગલું કેમ ભરી લીધું તેનું હજુ સુધી કોઇ કારણ બહાર આવ્યું નથી. આનંદે જીવન ટૂંકાવી લેતા તેના સહપાઠીઓમાં દુઃખની લાગણી વ્યાપી ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.