તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સયાજીપુરા ખાતેની પાલિકાની આવાસ યોજનામાં વિદેશથી આવતા કોરોના પીડિત નાગરિકો માટે આવાસો અનામત રાખવાનું બંધ થતાં ત્યાંથી સિક્યુરિટી હટાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરામાં કોરોનાનો કહેર ચરમ સીમાએ હતો ત્યારે અન્ય શહેરોમાંથી આવતા નાગરિકોને શહેરમાં પોતાના ઘરે જતા પૂર્વે 14 દિવસ અન્ય સ્થળે રાખવાનું નક્કી થયું હતું, જેમાં વિદેશથી આવતા મૂળ ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. વિદેશથી પરત ફરતા આવા નાગરિકો માટે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સયાજીપુરા ખાતેની હાઉસિંગ સ્કીમમાં રાખવામાં આવતા હતા. ત્યાં 14 દિવસ રાખવામાં આવ્યા બાદ તેમને તેમના ઘરે મોકલવામાં આવતા હતા. જોકે હાલમાં આવા નાગરિકો પોતાના ઘરે સીધા જઈ શકે છે ત્યારે આ યોજના હાલમાં બંધ કરવામાં આવતાં ત્યાં મૂકવામાં આવેલી સિક્યુરિટી હવે હટાવી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.