તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સમા અને અકોટા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનના વેપારીઓ દ્વારા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાની ફરિયાદના આધારે પુરવઠા વિભાગે બંને વેપારીઓના પરવાના 3 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. જિલ્લા પુરવઠા અધિકારી શૈલેશ ગોકલાણીએ જણાવ્યું હતું કે, સમા ખાતેની વ્યાજબી ભાવની દુકાનમાંથી અનાજ સગેવગે કરાતું હોવાની પોલીસે ફરિયાદ નોંધી હતી. જે ફરિયાદના આધારે પુરવઠા વિભાગે સમા સ્થિત વ્યાજબી ભાવની દુકાનનાં લાઇસન્સ ધારક મીનાબેન સત્યનારાયણ ખટીકનો પરવાનો ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અકોટાના સસ્તા અનાજની દુકાન ચલાવનાર અખિલેશ ગોપાલભાઈ પટેલ દ્વારા તેઓની દુકાનની જગ્યાને બદલે સરકારી આંગણવાડીમાં સરકારી અનાજનો જથ્થો ઉતાર્યો હતો. જેના આધારે પુરવઠા વિભાગે અખિલેશ પટેલનો પરવાનો 3 મહિના માટે સસ્પેન્ડ કર્યો છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.