તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઇરસ ના પગલે માર્ચ મહિનાથી લોક ડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જો કે વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટે લોકડાઉનના પગલે શિક્ષકો સ્કુલે જઈ શક્યા નથી.
કોરોના સંકટ ને લઈને સૌથી વધારે અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે. રાજ્ય સરકાર દ્વારા માર્ચ મહિનામાં જ વિદ્યાર્થીઓ નું ભવિષ્ય ન બગડે તે માટે માસ પ્રમોશનનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. વિદ્યાર્થીઓને માણસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ માસ પ્રમોશન પ્રમાણે નું પરિણામ પણ શાળાઓ દ્વારા તૈયાર કરવું પડે તેમ છે. લોકડાઉનના પગલે શાળાઓમાં શિક્ષકો જઈ શકતા નથી જેના કારણે હજારો વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરી શકાયું નથી. 17 મે પછી લોકડાઉન માં હળવાશ આપવામાં આવે તો શાળાઓમાં શિક્ષકો જઈ ને વિદ્યાર્થીઓના પરિણામો તૈયાર કરી શકે તેમ છે.
શાળાઓ જૂન મહિનામાં ખુલશે કે નહીં તે અંગે ભાવિ અનિશ્ચિત છે. તેવા સમયે વિદ્યાર્થીઓના માનસ પ્રમોશન સાથે ના પરિણામો તૈયાર કરવા માટે પણ 10 થી 15 દિવસનો સમય જાય તેમ છે. જે પ્રકારે બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી માટે શિક્ષકોને ફાળવવામાં આવ્યા. તે પ્રમાણે જ શાળાઓ ના પરિણામ માટે પણ શિક્ષકોને જવાની મંજૂરી આપવામાં આવે તો વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર થઈ શકશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.